સાબરકાંઠા: સરકારી પ્રાથમિક શાળામાં સાંસદે બાળકોને ભણાવ્યા શિક્ષણના પાઠ,જુઓ વિશેષ અહેવાલ

સાંસદ શોભનાબેને એક કલાક કરતા વધારે સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શિખવવા માટે પ્રયાસ કર્યો

New Update

સાબરકાંઠાના સાંસદનું ઉત્કૃષ્ટ કાર્ય

પ્રાથમિક શાળામાં જઈ બાળકોને ભણાવ્યા

સાંસદ શોભના બારૈયા વ્યવસાયે શિક્ષક હતા

બાળકોને આપેલું વચન પૂર્ણ કર્યું

લોકોએ સાંસદના અભિગમને આવકાર્યો

સરકારી પ્રાથમિક શાળામાં લોકસભાના સાંસદ શિક્ષક તરીકે બાળકોને ભણાવતા હોય એવા દ્રશ્ય જોઈને નવાઈ લાગે પરંતુ આવા જ દ્રશ્યો સાબરકાંઠા જિલ્લામાંથી બહાર આવ્યા છે. જોઈએ આ વિશેષ અહેવાલ

ચકી બેન ... ચકી બેન ... મારી સાથે રમવા આવશો કે નહીં... આ બાળગીત ગવડાવતા અને બ્લેકબોર્ડમાં એકડ એકો શીખવતા આ મહિલા અને બાળકોનું દ્રશ્ય ખૂબ જ સરસ લાગી રહ્યું છે. કારણ કે શાળાનો આ માહોલ સ્વભાવિક જ જ દરેકને પસંદ હોય છે. પરંતુ આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પરંતુ લોકસભાના સાંસદ છે. સાંસદ શોભનાબેન બારૈયા વધુ એકવાર શાળામાં બાળકો વચ્ચે પહોંચ્યા છે.
જ્યાં શાળામાં પહોંચીને તેઓએ શાળાના બાળકોને અભ્યાસ કરાવવાનું આપેલું વચન પુરુ કર્યું છે. તેઓ 31 વર્ષથી શિક્ષક હતા અને હવે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. પરંતુ તેઓ શાળાના બાળકોની વચ્ચે રહેવાનો જીવ છોડી શક્યા નથી. આ માટે જ તેઓ લોકસભામાં ચૂંટાયા બાદ વધુ એકવાર બાળકોને ભણાવવા માટે શાળામાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ બાળકોને ફરીથી શાળામાં ભણાવવા માટે આવવાનું વચન આપ્યું હતુ. જે મુજબ તેઓ શાળામાં પહોંચ્યા હતા. 

સાંસદ શોભનાબેને એક કલાક કરતા વધારે સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શિખવવા માટે પ્રયાસ કર્યો હતો. સાંસદ હોવાનું ભૂલી જઈને તેઓ શાળામાં બાળકો વચ્ચે નીચે બેસીને અભ્યાસ કરાવવાનું પસંદ કર્યું હતુ. આ પળે જ શિક્ષકો અને વાલીઓના મન મોહી લીધા હતા.
Read the Next Article

ભરૂચ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજન

  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત આયોજન કરાયું

  • સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત સંસ્કૃત ભાષાનુ ગૌરવ, સંરક્ષણ અને પ્રસાર-પ્રચાર થાય એ હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પાંચ વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત “સંસ્કૃત સપ્તાહ યોજના”ની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ બાદ કલેક્ટર કચેરી ખાતે સમાપન થઈ હતી. 
યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા હતા. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો, ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃત સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી હતી.આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલ અને શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.