ભરૂચ:આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષા દરમ્યાન CCTV કેમેરા બંધ રાખવા આશ્ચર્યજનક પરિપત્ર !

ભરૂચ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો પર 101 બ્લોકનું આયોજન કરવામાં આવશે. જેમાં 2,417 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1 વાગ્યા સુધીનો રહેશે

New Update
  • આવતીકાલે ભરૂચ જિલ્લામાં યોજાશે GPSCની પરીક્ષા

  • 11 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન

  • પરીક્ષા પૂર્વે તંત્રનો આશ્ચર્યજનક પરિપત્ર

  • પરીક્ષાખંડના સીસીટીવી કેમેરા બંધ રાખવા આદેશ

  • GPSCના ચેરમેન હસમુખ પટેલનો ગજબનો તર્ક

Advertisment
ભરૂચ જિલ્લામાં આવતીકાલે 11 કેન્દ્ર પર જીપીએસસીની પરીક્ષા યોજાશે જોકે આ પરીક્ષા દરમિયાન પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરાને ઢાંકી દેવા આશ્ચર્યજનક પરિપત્ર કરવામાં આવ્યો છેમઆયોગના પરિપત્રને ટાંકીને ભરૂચ કલેકટર કચેરી દ્વારા તમામ સેન્ટરના સંચાલકોને સીસીટીવી કેમેરા DVR બંધ કરી કેમેરા ઢાંકી દેવા જણાવવામાં આવ્યું છે
ભરૂચ જિલ્લામાં આગામી 22 ડિસેમ્બરે જીપીએસસીની પરીક્ષા યોજાવા જઇ રહી છે.ભરૂચ જિલ્લામાં કુલ 11 કેન્દ્રો પર 101 બ્લોકનું આયોજન કરવામાં આવશે. જેમાં 2,417 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1 વાગ્યા સુધીનો રહેશે જોકે પરીક્ષા અંગે ભરૂચ કલેકટર કચેરીનો એક ચોંકાવનારો પરિપત્ર બહાર આવ્યો છે.
આ પરિપત્રમાં પરીક્ષા ખંડમાં લગાવેલ સીસીટીવી કેમેરા રૂમાલથી ઢાંકી દેવા અને કેમેરાનું ડીવીઆર બંધ કરી દેવા જે તે સેન્ટરના સંચાલકોને સૂચના આપવામાં આવી છે.અગાઉની પરીક્ષાઓમાં પરીક્ષાના આગલા દિવસે શાળા છૂટ્યા બાદથી પરીક્ષા પૂર્ણ થવા સુધીનું સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જમા કરાવવાનો નિયમ હતો પરંતુ આ વખતે આ નિયમ જ કાઢી નાંખવામાં આવ્યો છે.
Advertisment
નવા પરિપત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રાથમિક કસોટીમાં આયોગ દ્વારા HD કેમેરા ધરાવતી શાળામાં HD કેમેરા પરીક્ષા દરમિયાન બંધ રાખવા આદેશ કરાયો છે.શનિવારના રોજ શાળાની આયોગના પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લઈ શૈક્ષણિક સમય પૂર્ણ થયા બાદ HD કેમેરાનું DVR બંધ કરીને HD કેમેરાને કવરથી ઢાંકવાનું રહેશે અને તેનો અહેવાલ કલેકટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવાનો રહેશે.
સામાન્યત: આ પ્રકારની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ફરજિયાત હોય છે પરંતુ આ વખતે યોજાનારી પરીક્ષામાં આ કેમેરા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે ત્યારે આ અંગે અનેક ગુજરાત દ્વારા ગાંધીનગર કક્ષાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હાલ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે અને તેઓ એક સક્ષમ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે ત્યારે પરીક્ષા ખંડમાં લગાવવામાં આવેલા એચ.ડી. ક્વોલિટીના સીસીટીવી કેમેરાને ઝૂમ કરીને તેમાંથી પ્રશ્નપત્રને વાંચી શકાય છે. આ પ્રશ્નપત્ર વાંચ્યા બાદ બહાર તે લીક થઈ શકે એવી સંભાવનાને જોતા આ આશ્ચર્યજનક પરંતુ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ સ્ટેશનરીમાંથી જ નોટબુક-યુનિફાર્મ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાના આક્ષેપ

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું

  • આગેવાનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • શૈક્ષણિક સંસ્થાઓ મનમાની કરતી હોવાના આક્ષેપ

  • ઊંચા ભાવે યુનિફોર્મ-નોટબુકના વેચાણના આક્ષેપ

  • કડક પગલા ભરવા કરાય માંગ

Advertisment W3.CSS
ભરૂચ જિલ્લામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બુટ નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રૂ. 25થી 30ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂ. 50થી 60માં વેચાય રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઉંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે.