તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પરીક્ષા આપી ઉમેદવારો હાશકારા સાથે ઘર તરફ જવા દોટ મૂકી

રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની અંગજડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

New Update
તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પરીક્ષા આપી ઉમેદવારો હાશકારા સાથે ઘર તરફ જવા દોટ મૂકી

આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂણ થઈ છે. રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની અંગજડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. હોલ ટિકિટ, ઓળખકાર્ડ, પેન સિવાયની વસ્તુઓ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ બૂટ-ચપ્પલ પણ બહાર ઉતારવામાં આવ્યા હતા.

પરીક્ષાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે આવ્યા ત્યારે તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમાં કડક ચેકિંગ કરી અને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જમાલપુરની એફડી હાઇસ્કૂલમાં જે પણ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા. તેમા જે ઉમેદવારોએ શૂઝ પહેર્યા હતા તેઓને શૂઝ અને મોજા પોલીસે કઢાવ્યા હતા અને ત્યારબાદ ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Latest Stories
    Read the Next Article

    ભરૂચ:  જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો, નિમણુંકપત્ર વિતરણ સમારોહ યોજાયો

    ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો

    New Update
    Appointment letter
    અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળા ખાતે શિક્ષણ સહાયક ભલામણપત્ર - નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં, ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
    આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી પસંદગી સમિતિના સભ્ય અને શાળા સંચાલક મંડળ, ભરૂચના પ્રમુખ પ્રવિણસિંહ રણા, ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘ અને ભરૂચ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા તેમજ ભરૂચ જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણા દ્વારા ભરૂચ જિલ્લામાં નિયુક્તિ પામનાર શિક્ષકોને અભિનંદન પાઠવી શાળાઓના શિક્ષણને વેગવંતુ અને અસરકારક બનાવવા અપીલ કરી હતી.
    શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં નવા શિક્ષણ સહાયકોને અપડેટ રહી ગ્રાન્ટેડ શાળાઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક અને ભરતીના નોડલ અધિકારી  દિવ્યેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
    Latest Stories