ગુજરાતના નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકમાં થશે ફેરફાર,ધો.1થી 8 અને ધો.12માં બદલાશે પુસ્તકો

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 1થી 8 અને ધોરણ 12માં પુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે.

New Update
aaa

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ1થી 8 અને ધોરણ 12માં પુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે.

નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો અભ્યાસક્રમમાં લેવાના રહેશે.તેના માટે કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાયા છે. સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો નવા તૈયાર કરાયા છે. ધોરણ1 અને 8માં ગુજરાતીનું નવું પુસ્તક આવશે. જ્યારે ધોરણ 6માં અંગ્રેજી વિષયનું પુસ્તક બદલાશે.આ સિવાય ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિતવિજ્ઞાનનું પુસ્તક નવું આવશે.સામાજિક વિજ્ઞાનસર્વાંગી શિક્ષણસંસ્કૃતનું પુસ્તક પણ બદલાશે.જ્યારે ધો.8માં ગણિતવિજ્ઞાનનું નવું પુસ્તક તેમજ ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પુસ્તક પણ નવું આવશે.