New Update
/connect-gujarat/media/media_files/2024/12/15/yAKM5fI7eGtwBxFgZ459.jpg)
ફેમસ તબલાવાદક અને ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થઈ ગયું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈને આખી દુનિયામાં પોતાની કલાનો ઝંડો ફરકાવ્યો છે. જ્યારે તે પોતાના હાથની થાપે તબલા વગાડે છે, ત્યારે તે દુનિયાને મંત્રમુગ્ધ કરી દે છે.
ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે શંકર મહાદેવન અને ઝાકિર હુસેન સહિત 4 ભારતીયોએ સંગીત જગતનું સૌથી મોટું સન્માન ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.