પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના માતા 60 વર્ષે પ્રેગ્નેન્ટ, IVF ટેક્નિકનો આશરો લીધો

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની માતા આવતા મહિને એટલે કે માર્ચમાં બાળકને જન્મ આપશે. મૂસેવાલાની માતા ચરણ કૌરે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેક્નિકનો આશરો લીધો છે.

New Update
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના માતા 60 વર્ષે પ્રેગ્નેન્ટ, IVF ટેક્નિકનો આશરો લીધો

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની માતા આવતા મહિને એટલે કે માર્ચમાં બાળકને જન્મ આપશે. મૂસેવાલાની માતા ચરણ કૌરે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેક્નિકનો આશરો લીધો છે. મૂસેવાલાના કાકા ચમકૌર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.મૂસેવાલાની માતા ચરણ કૌર છેલ્લા 3-4 મહિનાથી ઘરની બહાર નીકળી પણ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર તે મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ છે. સિદ્ધુ મૂસેવાલા તેનાં માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. 29 મે 2022ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહ એકલા પડી ગયાં હતાં. આ પછી તેમણે બીજા બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું.સિદ્ધૂ મૂસેવાલાની વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. સિદ્ધૂ મૂસેવાલા પોતાનાં માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો. તેથી સિદ્ધૂ પરિવારના વારસદાર અંગે તેમના પ્રશંસકો સતત દુઆ કરી રહ્યા હતા. આ જ કારણ છે કે હવે IVF ટેક્નોલોજીની મદદથી સિદ્ધૂના માતાએ ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. માર્ચ મહિનામાં સિદ્ધૂની માતા બાળકને જન્મ આપશે. અત્યાર સુધી તેનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ જાણકારી સામે આવતાં જ મૂસેવાલાના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

Read the Next Article

દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

New Update
diljit

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

આ જોયા પછી નેટીઝન્સ હવે દિલજીત દોસાંઝને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સ્ટાર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સરદાર જી 3નું ટ્રેલર હાનિયા આમિરને જોઈને ભડક્યા છે. આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટૂડિયોના પોસ્ટર શેર કરતાં તેમાં લખ્યું, ' અમને એ જાહેર કરતાં બહુ આનંદ થઈ રહ્યો છે કે, સરદાર જી 3 27 જૂનના પોજ વિદેશોમાં રિલીઝ થશે. જોકે, ભારતમાં તેની રિલીઝને હાલમાં રોકી દેવામાં આવી છે. અમે તમારા પ્રેમ અને ધીરજની કદર કરીએ છીએ, અને ખૂબ જ જલ્દી ભારતમાં તેની રિલીઝ થવાની તારીખ શેર કરીશું. અપડેટ માટે જોડાયેલા રહેજો. તમને દરેકને મોટા પડદા પર ફિલ્મ બતાવવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.

તો સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતાં દિલજીત દોસાંઝે પણ લખ્યું છે કે, આ માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે. તેમણે લખ્યું કે, સરદાર જી 3 જૂનમાં માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે.' 

વિદેશમાં રિલીઝ થયા હોવા છતાં, 'સરદાર જી 3' ના ટ્રેલરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. એક ચાહકે લખ્યું, "દેશ પહેલા આવે છે - દિલજીતને  પાકિસ્તાની સહ-કલાકારો સાથે આટલો આરામદાયક જોઈને નિરાશા અનુભવી રહ્યો છું." બીજાએ લખ્યું, 'પહલગામ પછી દિલજીત પાસેથી આવી અપેક્ષા નહોતી - સીમા ક્યાં છે?' બીજાએ લખ્યું, 'સરદાર જી 3 ને બાયકોટ કરો.' જ્યારે બીજાએ લખ્યું, 'માફ કરશો પાજી, અમે આ ફિલ્મ જોવા નથી જવાના, અમે અમારા દેશની વિરુદ્ધ નહીં જઈ શકીએ.'