'પુષ્પરાજે" દુનિયાભરમાં મચાવી ધૂમ, 2 દિવસમાં ઈતિહાસ રચ્યો

વર્ષ 2024ની શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ તેનો અંત ધમાકેદાર રીતે થઈ રહ્યો છે. પાન ઈન્ડિયા ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ' એ આ વર્ષના તમામ રેકોર્ડ તોડીને બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે.

New Update
Pushpa-2

વર્ષ 2024ની શરૂઆત ભલે ધીમી રહી હોય, પરંતુ તેનો અંત ધમાકેદાર રીતે થઈ રહ્યો છે. પાન ઈન્ડિયા ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ' એ આ વર્ષના તમામ રેકોર્ડ તોડીને બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે. પુષ્પરાજનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે આ વર્ષે વર્લ્ડવાઈડ કલેક્શનમાં ઈતિહાસ રચ્યો છે.

સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ' 2021માં આવેલી ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'ની સિક્વલ છે. આ ફિલ્મ માટે દર્શકોમાં ત્રણ વર્ષથી રાહ જોવાઈ હતી, જે આખરે 5 ડિસેમ્બરે પૂરી થઈ. અલ્લુ અર્જુન પોતાના સ્વેગથી મોટા પડદા પર ધમાલ મચાવી રહ્યો છે.

પુષ્પા 2 બોક્સ ઓફિસ પર રાજ

'પુષ્પા 2' એ પ્રથમ દિવસે સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 175 કરોડનું ખાતું ખોલાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મે માત્ર તેલુગુમાં 95 કરોડ અને હિન્દીમાં 67 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે પણ પુષ્પાએ મોટાપાયે ચલણી નોટો છાપી અને 90 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. ભારતમાં જંગી માત્રામાં ચલણી નોટો છાપતી 'પુષ્પા 2' સમગ્ર વિશ્વમાં પણ હાહાકાર મચાવી રહી છે.

400 કરોડની કમાણી કરીને રાજા બન્યો

'પુષ્પા 2' એ પહેલા દિવસે 283 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે આ આંકડાએ બીજા દિવસે ઈતિહાસ રચ્યો હતો. ફિલ્મે બીજા દિવસે વિશ્વભરમાં લગભગ 117 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. Sacknilk અનુસાર, અલ્લુ અર્જુન સ્ટારર 'પુષ્પા 2'નું કુલ વિશ્વવ્યાપી કલેક્શન લગભગ 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

Read the Next Article

સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે અજય દેવગણનું મોટું નિવેદન

જે રીતે ડેબ્યૂ સ્ટાર અહાન-અનીતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેને જોતા અજય દેવગણે પણ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સન ઑફ સરદાર-2ની રિલીઝ ડેટ લંબાવી દીધી છે.

New Update
saiyaara

અનન્યા પાંડેનો પિતરાઈ ભાઈ અહાન પાંડે અને કાજોલ સાથે સલામ વેંકી માં નજર આવેલી એક્ટ્રેસ અનીત પડ્ડા હાલમાં ચર્ચામાં છે. આ બંનેએ યશરાજ બેનર હેઠળ બનેલી મોહિત સૂરીની ફિલ્મ સૈયારાથી બોલિવૂડમાં પોતાની શરૂઆત કરી છે. તેમની પહેલી જ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 

જે રીતે ડેબ્યૂ સ્ટાર અહાન-અનીતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેને જોતા અજય દેવગણે પણ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સન ઑફ સરદાર-2ની રિલીઝ ડેટ લંબાવી દીધી છે. જોકે, હવે સૈયારા ફિલ્મની સફળતા વચ્ચે બોલિવૂડના 'સિંઘમ'એ ન્યુ કમર્સની મોટી ગેરસમજણને દૂર કરવા માટે તેમને અરીસો દેખાડ્યો છે, જો તેને તેઓ સમજી લેશે તો ઈન્ડસ્ટ્રીમાં લાંબી રેસના ઘોડા બની શકે છે. 

અજય દેવગણે બોલિવૂડમાં એક લાંબો યુગ જોયો છે, આવી સ્થિતિમાં તેણે સક્સેસ અને ફેલિયર બંનેને સારી રીતે સમજ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈબ્રાહિમ અલી ખાનથી લઈને વેદાંગ રેના અને સુહાના ખાન સહિત અનેક સ્ટાર કિડ્સ અને આઉટસાઈડર એક્ટર્સે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. જોકે, આ બધામાંથી અહાન પાંડે અને અનીત પડ્ડા પોતાના ડેબ્યૂમાં સફળ રહ્યા છે. જોકે, તેના પહેલાથી ફિલ્મથી લોકોએ તેને સ્ટાર કહેવાનું શરૂ કરી દીધુ છે, હવે અજય દેવગણે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.  

અર્ચના પૂરણ સિંહની યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા અજય દેવગણે બંનેના નામ લીધા વિના કહ્યું કે, હું આ બધા માટે નથી કહી રહ્યો. કેટલાક લોકો સમજદાર હોય છે, પરંતુ મોટાભાગે લોકોને ખબર નથી હોતી કે તેઓ એક્ટર બનવા માગે છે કે સ્ટાર. તમે પહેલા જ દિવસે સ્ટાર નથી બની શકતા. સૌથી પહેલા તો તમારે એક્ટર બનવાનું છે. મને લાગે છે કે જે આઉટસાઈડર ફિલ્મોમાં આવે છે, તેમના મનમાં ઈન્ડસ્ટ્રીને લઈને ગેરસમજણ હોય છે. મને એ લાગે છે કે તે તમારું હાર્ડવર્ક છે. 

ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટંટ કોરિયોગ્રાફર રહેલા વીરુ દેવગણ પાસેથી અજયે ફિલ્મમાં આવવા પહેલા શું-શું શીખ્યું તે પણ જણાવ્યું. તેણે કહ્યું કે, મેં ઈન્ડસ્ટ્રી વિશે જે પણ ટેકનિકલ બાબતો શીખી છે, તે મને તેમણે જ શીખવી છે. તેમનું કામ પ્રત્યે જે ડેડિકેશન હતું તે તેમણે મને પણ શીખવ્યું. મારા કામમાં તમે જે પ્રામાણિકતા જુઓ છો તે તેમના કારણે જ છે.'

અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'સન ઑફ સરદાર-2' ની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'ધડક-2' સાથે પડદા પર ટકરાશે. પહેલી વાર દર્શકો આ ફિલ્મમાં અજય દેવગન અને મૃણાલ ઠાકુરની જોડી જોશે.

 CG Entertainment | Bollywod Film | box office | Ajay Devgn New Film | saiyaara

Latest Stories