રાઘવ–પરિણીતાના લગ્નમાં કાર્ડ વગર નહીં મળે એન્ટ્રી, લગ્નમાં તૈનાત કરાઇ હાઇ સિક્યુરિટી વ્યવસ્થા....

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નને લઇને અનેક તૈયારીઓ થઇ ચુકી છે.

New Update
રાઘવ–પરિણીતાના લગ્નમાં કાર્ડ વગર નહીં મળે એન્ટ્રી, લગ્નમાં તૈનાત કરાઇ હાઇ સિક્યુરિટી વ્યવસ્થા....

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નને લઇને અનેક તૈયારીઓ થઇ ચુકી છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી શુક્રવારના રોજ ઉદયપુર એરપોર્ટ પર પહોંચી ગયા છે. આ લગ્નને લઇને અનેક પ્રકારના લિસ્ટની તૈયારીઓ થઇ ગઇ છે. જો કે ઘણી બધી બાબતોને લઇને બહુ સિક્રેટ રાખવામાં આવ્યુ છે. પરિણીતી-રાઘવના લગ્નમાં 100 પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ સાથે ઇવેન્ટને લઇને કોઇ ફોટો તેમજ વિડીયો બહાર આવશે નહીં. હોટલમાં એન્ટ્રી કરનાર મહેંમાનોને મોબાઇલ કેમેરા પર બ્લૂ કલરની ટેપ લગાવવામાં આવશે જેથી કરીને લગ્ન સમારોહમાં કોઇ પણ વિડીયો તેમજ ફોટો ખેંચી શકે નહીં. આ બ્લૂ ટેપની ખાસિયત એ છે કે મોબાઇલ કેમેરા પર એક વાર બ્લૂ ટેપ લગાવ્યા પછી એને કોઇ દૂર કરે છે તો એક એરોનું સિંબલ થશે. આનાથી સિક્યુરિટી ચેક કરનારને એ વાતની જાણ થશે કે કેમેરા યુઝ કરવા માટે ખાસ કરીને ટેપને દૂર કરવામાં આવી છે. આટલું જ નહીં..આ ટેપ હોટલના સ્ટાફથી લઇને ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, શેફ એમ દરેક લોકોને આ નિયમ લાગુ પડશે. મળતી માહિતી અનુસાર લગ્નની પ્રાઇવસીને લઇને એગ્રીમેન્ટ પણ થયો છે. એવામાં હોટલની આખી સિક્યોરિટી સિસ્ટમને બદલી લેવામાં આવી છે. સ્ટાફ સિવાય કોઇ પણ વ્યક્તિ આવશે તો એનું પૂરું સ્ક્રીનિંગ કરવામાં આવશે. હોટલ સ્ટાફ અને કર્મચારીને કાર્ડ વગર એન્ટ્રી મળશે નહીં. આ દરેક કાર્ડ પર યુનિક નંબર જારી કરવામાં આવ્યો છે. આ સ્કેન થયા પછી હોટલમાં એન્ટ્રી આપવામાં આવશે.

#India #Parineeti Chopra #Raghav Chadha #high security arrangements #not get entry without card #CGNews #marriage card #Celebs #marriage #politician
Latest Stories
Read the Next Article

અજય દેવગણની શૈતાન ટુમાં કાજોલ પણ કેમિયો કરે તેવી ચ...

અજય દેવગણની શૈતાન ટુમાં કાજોલ પણ કેમિયો કરે તેવી ચર્ચા

અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે. ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા સહિતના કલાકારો રીપિટ થશે.

New Update
shaitaan 2

અજય દેવગણ હવે 'શૈતાન ટૂ' બનાવી રહ્યો છે. તેમાં કાજોલ પણ કેમિયો કરશે તેવી અટકળો છે.

ફિલ્મમાં અજય, આર. માધવન તથા જાનકી બોડીવાલા સહિતના કલાકારો રીપિટ થશે. આ ઉપરાંત કેટલાક નવા કલાકારો પણ ઉમેરાશે તેવી ચર્ચા છે. 

આ ફિલ્મના પ્લોટને મૂળ 'શૈતાન' સાથે કોઈ લેવાદેવા નહીં હોય. બિલકૂલ નવી  વાર્તા જ રજૂ કરાશે. અજય દેવગણને પોતાની જૂની ફિલ્મોના પાર્ટ ટુ , પાર્ટ થ્રી એમ ફ્રેન્ચાઈઝી સ્વરુપે  બનાવી  સફળતાનો શોર્ટકટ મેળવવાનું ફાવી ગયું છે. આ કિસ્સામાં પણ તે મૂળ 'શૈતાન' ફિલ્મની ગુડવિલને નીચોવી  લેવા ખાતર જ 'શૈતાન ટુ' એેવું ટાઈટલ રાખવાનો હોવાનું કહેવાય છે. 

જોકે, બોલીવૂડમાં આવું કરવાવાળો અજય દેવગણ એકલો નથી. તાજેતરમાં કરણ જોહરે પણ અક્ષય કુમારની સી. શંકરન નાયરની બાયોપિકને 'કેસરી ટૂ' તરીકે પેશ કરી હતી. વાસ્તવમાં તેને અક્ષય કુમારની મૂળ 'કેસરી' ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા જ ન હતી.