વાંચો, સલમાન ખાન કેમ માને છે અરબાઝ-મલાઈકાના ડિવોર્સ માટે અર્જુન કપૂરને જવાબદાર..!

બૉલીવુડ ફિલ્મ એક્ટર સલમાન ખાન તથા અર્જુન કપૂર વચ્ચેના કડવાશભર્યા સંબંધો જગજાહેર છે.

વાંચો, સલમાન ખાન કેમ માને છે અરબાઝ-મલાઈકાના ડિવોર્સ માટે અર્જુન કપૂરને જવાબદાર..!
New Update

બૉલીવુડ ફિલ્મ એક્ટર સલમાન ખાન તથા અર્જુન કપૂર વચ્ચેના કડવાશભર્યા સંબંધો જગજાહેર છે. સલમાન તથા અર્જુન કપૂર અરબાઝ તથા મલાઈકાના ડિવોર્સ બાદથી જ ક્યારેય એક ફ્રેમમાં સાથે જોવા મળ્યા નથી.

વર્ષ 2017માં યોજાયેલ એક અવૉર્ડ શોમાં સલમાન ખાને જાણી જોઈને અર્જુન કપૂરની અવગણના કરી હતી. સલમાને શો ઓર્ગેનાઇઝરને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે, જ્યારે અર્જુન સ્ટેજ પર પર્ફોર્મ કરતો હોય, ત્યારે તેને બોલાવવામાં આવે નહીં. કારણ કે, સલમાન ખાન માને છે કે, અરબાઝ તથા મલાઈકાના ડિવોર્સ માટે અર્જુન કપૂર જ જવાબદાર વ્યક્તિ છે. જોકે, સલમાને જ અર્જુન કપૂરને બોલિવૂડમાં આવે તે પહેલાં તાલીમ આપી હતી. તો બીજી તરફ, અર્જુન કપૂરના પિતા બોની કપૂર અને સલમાન ખાન બન્ને એકબીજીના ખાસ મિત્રો પણ રહ્યા છે. બોની કપૂરના કહેવાથી જ સલમાન ખાને અર્જુન કપૂરને પોતાના જિમમાં ટ્રેનિંગ આપી હતી. જોકે, અરબાઝ ખાને ડિવોર્સ આપ્યા બાદ મલાઈકાએ અર્જુન કપૂર સાથેના સંબંધો ઑફિશિયલ કર્યા હતા. આ વચ્ચે બન્નેના લગ્નના સમાચાર અવાર-નવાર આવતા હતા. પરંતુ બન્નેએ લગ્નની વાતને માત્ર અફવા ગણાવી છે. તો બીજી તરફ, મલાઈકાને ડિવોર્સ આપ્યા બાદ અરબાઝ ખાન પણ વર્ષ 2018થી ઈટાલિયન મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

#India #Arbaaz-Malaika #divorce #Arjun Kapoor #Bollywood Celebs #responsible #BeyondJustNews #Connect Gujarat #Salman Khan
Here are a few more articles:
Read the Next Article