સિકંદર' ફ્લોપ જતાં સલમાનને મોટો ઝટકો, અપકમિંગ ફિલ્મનો પ્રોજેક્ટ થયો બંધ!

જો આ ફિલ્મે ચાલી ગઈ હોત તો, સારી કમાણી કરત. પરંતુ હવે સલમાન ખાનના આગામી પ્રોજેક્ટને લઈને ઘણી મૂંઝવણો ઊભી થઈ છે.

New Update
YRF01

સલમાન ખાનને 'સિકંદર' પર ઘણી આશા હતી, પરંતુ આ ફિલ્મે તેની આશાઓ પર પાણી ફેરવી દીધું.

ક્યારેક એવું જાણવા મળે છે કે, તે ટૂંક સમયમાં સંજય દત્ત સાથે કામ શરૂ કરશે, તો ક્યારેક એવા સમાચાર આવે છે કે, દક્ષિણવાળાઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન એવી વાત બહાર આવી છે કે, સલમાન ખાન એક પાવરફુલ બાયોપિકમાં ભારતીય જાસૂસની ભૂમિકા અદા કરવાનો છે. પરંતુ આ ફિલ્મ બંધ કરી થઈ ગઈ છે. 

સલમાન ખાન વારંવાર YRF સ્પાય યુનિવર્સ માટે જાસૂસ એજન્ટની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ ફ્રેન્ચાઇઝીની શરૂઆત જ તેમની ફિલ્મથી થઈ હતી. અને તેમાં સલમાન ખાને ભારતીય જાસૂસની ભૂમિકા પણ ભજવવાની હતી. પરંતુ મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે રેડના ડિરેક્ટરે  તેની પાછળનું મોટું કારણ પણ જણાવ્યું છે.

હકીકતમાં સલમાન ખાન ભારતીય જાસૂસ રવિન્દ્ર કૌશિકની બાયોપિકમાં કામ કરવાનો હતા. પરંતુ હવે આ ફિલ્મને બંધ કરવામાં આવી છે. 'રેડ' અને 'રેડ 2' બનાવનારા રાજ કુમાર ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'તેમણે સલમાન ખાન સાથે ફિલ્મ વિશે વાત કરી હતી. હકીકતમાં તેઓ રવિન્દ્ર કૌશિકની વાર્તાને મોટા પડદા પર લાવવા માંગતો હતો. જેને બ્લેક ટાઇગર્સ પણ કહેવામાં આવે છે.

રાજ કુમાર ગુપ્તાએ કહ્યું કે, 'તેમની પાસે અધિકારો હતા, પરંતુ, તે અધિકારો એક્સપાયર થઈ ગયા હતા. અને ત્યાર બાદ તેને રિન્યૂ ન કરવામાં આવ્યા. જેથી કરીને ફિલ્મ બંધ કરવામાં આવી. હકીકતમાં વર્ષ 2021માં પિંકવિલા પર એક અહેવાલ પ્રકાશિત થયો હતો. જેના પરથી ખબર પડી કે સલમાન ખાને આ ફિલ્મ માટે સહમતિ આપી છે. આ ફિલ્મ રવિન્દ્ર કૌશિકના જીવન પર આધારિત હતી. રાજ કુમાર ગુપ્તા છેલ્લા 5 વર્ષથી તેમના જીવન પર સંશોધન કરી રહ્યા હતા.

Read the Next Article

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે થયું અવસાન

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

New Update
kta

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'એ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટને ટાંકીને જણાવ્યું છે કે, અભિનેત્રીને 27મી તારીખે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને  તબીબે તેમને હવે મૃત જાહેર કરી છે. અહેવાલો અનુસાર, તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શેફાલીના અચાનક દુનિયા છોડી દેવાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કૂપર હોસ્પિટલથી શેફાલી જરીવાલાના પતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કારમાં બેઠેલો અને તૂટેલો દેખાય છે. કારની અંદર બેઠેલો પરાગ પોતાના ઉદાસ ચહેરાને હાથથી ઢાંકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. ગાયક રાહુલ વૈદ્યએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે, 'રેસ્ટ ઇન પીસ, તમે અમને ખૂબ વહેલા છોડીને જતા રહ્યાં' ગાયક મીકા સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, 'હું ખૂબ જ આઘાત અને દુઃખી છું, આપણો પ્રિય સ્ટાર અને એક સારો મિત્ર આપણને છોડીને ચાલ્યો ગયો.'

Latest Stories