શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મના વિવાદની ગુજરાતમાં એન્ટ્રી ! વાંચો ભગવા બિકિની પર કોણે નોંધાવ્યો વિરોધ

પઠાણ ફિલ્મ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ની પઠાણ ફિલ્મ નો દેશભરમાં થઇ રહેલા વિરોધ અને વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે.

New Update
શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મના વિવાદની ગુજરાતમાં એન્ટ્રી ! વાંચો ભગવા બિકિની પર કોણે નોંધાવ્યો વિરોધ

પઠાણ ફિલ્મ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ની પઠાણ ફિલ્મ નો દેશભરમાં થઇ રહેલા વિરોધ અને વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ગુજરાતના જાણીતા લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ ફિલ્મ અંગે નિવેદન આપ્યું છે કે આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ થવા દેવી ના જોઇએ. તેમણે આરોપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો કે 75 વર્ષ સુધી સનાતન ધર્મનું બોલિવૂડે ખરાબ કર્યુ છે.ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું એક સોંગ તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીતમાં અભિનેત્રી દીપિકા પદૂકોણે ભગવા રંગની બિકની પહેરી હોવાનો આરોપ લાગ્યો છે. ભગવા રંગની બિકીની વિવાદ દેશમાં વકરી રહ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. વીએચપી ગીતના કેટલાક સીન હટાવવાની માગ કરી હતી. આરએસએસએ પણ સીન બદલવાની માંગ કરી છે. મધ્યપ્રદેશના મંત્રી ડો.નરોત્તમ મિશ્રા મધ્ય પ્રદેશમાં ફિલ્મ ને રિલીઝ થવા નહીં દેવાય તેમ કહીને વિરોધ વ્યક્ત કર્યો હતો.હવે આ ફિલ્મનો વિવાદ ગુજરાત પહોંચ્યો છે. ગુજરાતના જાણીતા લોક કલાકાર રાજભા ગઢવીએ કહ્યું છે કે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ ન થવા દેવી જોઈએ. તેમણે કહ્યું કે બોલિવૂડમાં સનાતન પરંપરાને ખરાબ દેખાવ પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે ખાસ કરીને સનાતન પરંપરાને ખરાબ દેખાડવાની કોશિશ થતી આવે છે. પઠાણ ફિલ્મનું ગીત રીલીઝ થયું છે તેમાં અભિનેત્રીએ ભગવું પહેર્યું છે. ગુજરાતીઓને કહું છું કે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવા દેવી ના જોઈએ. આપણી ભાવના અને પરંપરા અને સનાતન ધર્મ સાથે હિન્દુત્વ સાથે ખરાબ કરવું બોલીવુડે નક્કી કર્યું છે

#India #Connect Gujarat #BeyondJustNews #film #Shahrukh Khan #Controversy #Pathan #Mumbaio #Bhagwa
Latest Stories
Read the Next Article

‘તારક મહેતા’શોમાં ગોકુલધામ સોસાયટીમાં થશે ખાસ પાત્...

‘તારક મહેતા’શોમાં ગોકુલધામ સોસાયટીમાં થશે ખાસ પાત્રની એન્ટ્રી

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યું છે અને હવે 17 વર્ષ બાદ આ શોમાં મોટો ટ્વીસ્ટ આવી રહ્યો છે.

New Update
tmkoc

લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યું છે અને હવે 17 વર્ષ બાદ આ શોમાં મોટો ટ્વીસ્ટ આવી રહ્યો છે.

Advertisment

ગોકુલધામ સોસાયટીમાં હવે એક નવો પરિવાર એન્ટ્રી મારવા તૈયાર છે. મેકર્સે શોમાં આ નવો ટ્વીસ્ટ લાવીને તેનું એન્ટરટેઈન્ટમેન્ટનું લેવલ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. આ નવા પરિવારની એક્સક્લ્યુઝિવ ઝલક સેટ પરથી સામે આવી છે, જેમાં ચાર લોકોનો એક રાજસ્થાની પરિવાર ઉંટ પર સવાર થઈને એન્ટ્રી લઈ રહ્યો છે. ચાલો જોઈએ કોનો છે આ પરિવાર-

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં આપણે અત્યાર સુધી મરાઠી, ગુજરાતી, સાઉથ ઈન્ડિયન, પારસી, પંજાબી, બંગાળી તમામ પરિવારો આપસમાં હળી-મળીને રહે છે. હવે આ બધામાં એક નવો પરિવાર જોડાશે અને આ પરિવાર છે રાજસ્થાની. જે દર્શકો અને ગોકુલધામ માટે એક નવો જ ટ્વીસ્ટ છે.

17 વર્ષ બાદ આજે પણ આ શો ટીઆરપી રેટિંગમાં ટોપ-5માં પોતાનું સ્થાન જાળવીને સતત અલગ અલગ સ્ટોરી અને પ્લોટથી દર્શકોને હસાવે છે. હવે 17મી એનિવર્સરી પર તારત મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર આસિતકુમાર મોદીએ ગોકુલધામ સોસાયટીમાં એક નવા પરિવારની એન્ટ્રીની વાત કરી હતી અને હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે એ ક્ષણ પણ આવી ગઈ છે.

આસિતકુમાર મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સિરીયલમાં એક નવો, રસપ્રદ અને મજેદાર કેરેટર જોડાવવાનું છે, જે દોઢ દાયકા પણ લાંબા સમયથી ચાલી આવી રહેલાં શોને એક નવી વળાંક આપશે અને દર્શકોના એન્ટરટેઈન્ટમેન્ટના ડોઝમાં વધારો કરશો.

દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક આ નવા ટ્વીસ્ટની રાહ જોઈ રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. પોતાની સ્ટોરી અને સિરીયલના કેરેક્ટર્સ દર્શકોના દિલ જિતી રહ્યા છે અને ટીઆરપી રેટિંગ ચાર્ટ પર રાજ કરી રહ્યો છે.