આજે “વિશ્વ રંગમંચ દિવસ”, શા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે વર્લ્ડ થિયેટર ડે? જાણો તેનો ઈતિહાસ અને થીમ

વિશ્વભરમાં થિયેટરનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 27 માર્ચે વર્લ્ડ થિયેટર ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1961થી શરૂ થઈ હતી.

New Update
આજે “વિશ્વ રંગમંચ દિવસ”, શા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે વર્લ્ડ થિયેટર ડે? જાણો તેનો ઈતિહાસ અને થીમ

વિશ્વભરમાં થિયેટરનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 27 માર્ચે વર્લ્ડ થિયેટર ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1961થી શરૂ થઈ હતી. થિયેટર સાથે જોડાયેલા તમામ કલાકારો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસ લોકોને થિયેટરના મહત્વ વિશે શિક્ષિત અને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને જણાવવામા આવે છે કે સમાજના વિકાસ માટે થિયેટર શા માટે જરૂરી છે. થિયેટર એ સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની સૌથી અગ્રણી રીતો પૈકીની એક છે. થિયેટર વિવિધ નાટકોનું મંચન કરી સામાજિક દુષણો અને સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં સતત મદદ કરે છે.

વિશ્વ રંગમંચ દિવસનો ઇતિહાસ

  • વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે 27 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI) દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ દર વર્ષે 27મી માર્ચે ઇન્ટરનેશનલ થિયેટર કોમ્યુનિટી અને ITI કેન્દ્રો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર કાર્યક્રમો થાય છે.
  • વિશ્વ રંગમંચ દિવસનો પ્રથમ સંદેશ 1962માં જીન કોક્યુટ દ્વારા રચવામાં આવ્યો હતો. પ્રથમ નાટક એથેન્સમાં એક્રોપોલિસ પર સ્થિત થિયેટર ઓફ ડાયોનિસસમાં આયોજીત કરવામાં આવ્યું હતું. આ નાટક પાંચમી સદીની શરૂઆતનું માનવામાં આવે છે. આ પછી, થિયેટર સમગ્ર ગ્રીસમાં ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યું. વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રંગમંચ વિશે જાગૃતિ લાવવાનો અને તેનું મહત્વ સમજાવવાનો છે. વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે એક જ થીમ પર ઉજવવામાં આવે છે. દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગમંચ દિવસ 'થિયેટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ'ની થીમ પર ઉજવવામાં આવે છે. છેલ્લા 59 વર્ષથી આ દિવસની ઉજવણી આ થીમ સાથે કરવામાં આવે છે.
Read the Next Article

2025ના સેકન્ડ હાફમાં સંજય દત્ત કરશે ધમાકો, 4 ધમાકેદાર ફિલ્મોથી બોક્સ ઓફિસ પર કરશે કબજો

90ના દાયકામાં સૌથી મોટા સુપરસ્ટાર તરીકે ઓળખાતો સંજય દત્ત હાલમાં સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે અને એકથી વધુ શાનદાર ફિલ્મો દ્વારા દર્શકોનું પૂરેપૂરું મનોરંજન આપી રહ્યો છે.

New Update
sanjay datt

90ના દાયકામાં સૌથી મોટા સુપરસ્ટાર તરીકે ઓળખાતો સંજય દત્ત હાલમાં સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે અને એકથી વધુ શાનદાર ફિલ્મો દ્વારા દર્શકોનું પૂરેપૂરું મનોરંજન આપી રહ્યો છે.

 હવે દર્શકોને પૂરેપૂરું મનોરંજન આપવા માટે સંજુ બાબાની ફિલ્મો વર્ષના 2025ના અંત સુધી રિલીઝ થવા તૈયાર છે. ચાલો જાણીએ તેની અપકમિંગ ફિલ્મો વિશે...

વર્ષ 2025ના પહેલા હાફમાં 'ભૂતની' જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી ચાહકોના દિલ પર રાજ કરનાર સંજય દત્તની આગામી ફિલ્મનું નામ 'બાગી 4' છે. અભિનેતા ટાઈગર શ્રોફની આ બ્લૉકબસ્ટર ફ્રેન્ચાઇઝીમાં હવે સંજયનો ખૂંખાર અવતાર જોવા મળશે, જેની જાણકારી ગયા વર્ષે 'બાગી 4'ના પોસ્ટર રિલીઝ સાથે મળી હતી. આ એક્શન થ્રિલર 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હાલમાં જ સુપરસ્ટાર રણવીર સિંહના જન્મદિવસે તેની આવનારી ફિલ્મ 'ધુરંધર'નો ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્તનું મહત્વપૂર્ણ પાત્ર ભજવશે અને ટીઝરમાં તેનો સ્વેગ સ્પષ્ટ રીતે જોવા મળ્યો છે. 5 ડિસેમ્બર 2025ના રોજ 'ધુરંધર' થિએટરોમાં રિલીઝ થશે.

'ધ ભૂતની' બાદ સંજય 'ધ રાજા સાહેબ' જેવી અન્ય એક હોરર કૉમેડી ફિલ્મમાં દેખાશે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આ મૂવીમાં સંજૂ બાબા પણ જોવા મળશે. 'દ રાજા સાહેબ' પણ 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થશે.

સાઉથ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ધ્રુવ સર્જાની ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'માં પણ સંજય દત્તની ઝલક જોવા મળશે. ફિલ્મના ફર્સ્ટ લૂકનો પોસ્ટર પહેલાજ રિલીઝ કરવામાં આવેલો છે. જાણકારી મળી રહી છે કે તેની આ મૂવી વર્ષ 2025ના અંતમાં રિલીઝ થશે.

CG Entertainment | Sanjay Datt | Upcoming New Movie 

Latest Stories