રણબીરની ફિલ્મ ‘રામાયણ‘ ને પગલે ટીવીની સીતા નાખુશ, વાંચો શું કહ્યું.

હાલમાં રણબીર કપૂર તેની આવનારી ફિલ્મ “ રામાયણ “ને લઈને ચર્ચામાં છે.ગ યા વર્ષે તેની 'એનિમલ' ફિલ્મે પણ ધૂમ મચાવી હતી. હાલમાં રણબીર નિતેશ તિવારીની 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

New Update
Ranbir

હાલમાં રણબીર કપૂર તેની આવનારી ફિલ્મ “ રામાયણ “ને લઈને ચર્ચામાં છે.ગ યા વર્ષે તેની 'એનિમલ' ફિલ્મે પણ ધૂમ મચાવી હતી. હાલમાં રણબીર નિતેશ તિવારીની 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણબીર કપૂર રામનો રોલ નિભાવી રહ્યો છે. જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનો રોલ પ્લે કરી રહી છે . આ દરમિયાન રામાનંદ સાગરની 'રામાયણ' ફેમ દીપિકા ચિખલિયાનો  આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય સામે આવ્યો છે. અન્ય રોલોમાં યશ ‘રાવણ’, તો હનુમાનના રોલ માટે શનિ પાજીને ફાઇનલ કરાયા છે . ફિલ્મનું શૂટિંગ ઘણા સમય પહેલા શરૂ થઈ ગયું છે. ફિલ્મને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત પણ છે તો બીજી તરફ લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. 

રામાનંદ સાગરની ‘રામાયણ’ ફેમ દિપિકા ચિખલિયાએ ફિલ્મ બની તે પહેલા જ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું છે કે ફિલ્મ ન બનવી જોઈએ. દિપીકા ચિખલિયાનુ કહેવુ છે કે લોકોએ ધાર્મિક ગ્રંથો સાથે છેડછાડ ન કરવી જોઈએ. આ દરમિયાન તેણે નિતેશ તિવારીની રામાયણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને નિરાશા વ્યક્ત કરતી જોવા મળી હતી.

‘રામાયણ’ની સંપૂર્ણ અસર બગાડી રહ્યા છો : - દિપીકા ચીખલીયા

“લોકો તેને બગાડે છે. મને નથી લાગતું કે રામાયણ વારંવાર બનવી જોઈએ. આ પ્રસંગે દીપિકા ચીખલીયાએ ‘આદિપુરુષ’નો પણ ઉલ્લેખ કર્યો હતો.

Latest Stories