Connect Gujarat
મનોરંજન 

વિવેક અગ્નિહોત્રીએ અકસ્માત બાદ પલ્લવી જોશીની હાલત વિશે જણાવ્યું…

'ધ કાશ્મીર ફાઇલ્સ'ની અભિનેત્રી પલ્લવી જોશીનો તાજેતરમાં અકસ્માત થયો છે. તેની આગામી ફિલ્મ 'ધ વેક્સીન વોર'નું શૂટિંગ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો.

વિવેક અગ્નિહોત્રીએ અકસ્માત બાદ પલ્લવી જોશીની હાલત વિશે જણાવ્યું…
X

'ધ કાશ્મીર ફાઇલ્સ'ની અભિનેત્રી પલ્લવી જોશીનો તાજેતરમાં અકસ્માત થયો છે. તેની આગામી ફિલ્મ 'ધ વેક્સીન વોર'નું શૂટિંગ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો. આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે. પલ્લવી જોશી સાથે આ ઘટના ત્યારે બની જ્યારે શૂટિંગ સેટ પર એક વાહન કાબૂ બહાર ગયું. તે વાહને પલ્લવીને ટક્કર મારી હતી, જેના કારણે તેઓને ઈજા થઈ હતી. તે જ સમયે, તેના પતિ અને નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ લખીને ચાહકોનો ન માત્ર આભાર માન્યો, પરંતુ તેના સ્વાસ્થ્ય વિશે પણ જણાવ્યું.

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને પત્ની પલ્લવી જોશીની હાલત જણાવી છે. તેણે પોસ્ટમાં લખ્યું, 'પલ્લવી જોશી વતી હું તેના તમામ શુભેચ્છકો અને ચાહકોનો તેમની ચિંતા માટે આભાર માનું છું. શૂટિંગ દરમિયાન એક કાર તેના પગ ઉપરથી ચાલી ગઈ હતી. આમ તો હાડકાને ઠીક થવામાં ઘણો સમય લાગશે, પરંતુ આજે તે પોતાનો શોટ આપવા સેટ પર પહોચ્યા હતા.થોડી ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે. શો ચાલુ જ રહેશે ચાહકો પલ્લવી જોશીના ઝડપી સ્વસ્થ થવા વિશે લખી રહ્યા છે.

'ધ કાશ્મીર ફાઇલ્સ' પછી ફરી એકવાર વિવેક અગ્નિહોત્રી એક એવી સ્ટોરી લઈને આવી રહ્યા છે જે સીધી રીતે લોકો સાથે જોડાયેલી છે. આગામી ફિલ્મનું નામ 'ધ વેક્સીન વોર' છે. આ ફિલ્મની જાહેરાત થોડા દિવસો પહેલા પલ્લવી જોશીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી. વેક્સિન વોરમાં, કોરોના પીરિયડનો સમય વિગતોમાં તેમજ ભારતીય બાયો સાયન્ટિસ્ટ અને સ્વદેશી રસી દર્શાવવામાં આવશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થશે.

Next Story