Connect Gujarat
Featured

ભરૂચ : પારુલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકોનું ટીચર એવોર્ડથી સન્માન કરાયું, નવી શિક્ષણ નીતિ અંગે માર્ગદર્શન અપાયું...

X

હોટેલ રિજેન્ટા ખાતે ટીચર એવોર્ડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પારુલ યુનિવર્સિટી દ્વારા ટીચર એવોર્ડથી શિક્ષકોનું સન્માન

સેમિનારમાં નવી શિક્ષણ નીતિ અંગે પણ માર્ગદર્શન અપાયું

વડોદરાની પારુલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ટીચર એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ભરૂચની હોટેલ રિજેન્ટા ખાતે નવી શિક્ષણ નીતિ અને શ્રેષ્ઠ ટીચર એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જે અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ અને અંકલેશ્વર તાલુકાની ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય અને ટીચરને તેમના સુદ્રઢ સેવાકાર્ય બદલ ટીચર એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય મહેશ ઠાકર, રાહુલ ભારત અને ડોક્ટર પવન દેવડીએ વિશેષ ઉપસ્થિત રહી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Next Story