ગીર સોમનાથ : 170 કીમીની ઝડપે ફુંકાયા પવનો, જુઓ તારાજીના હચમચાવી દેતા દ્રશ્યો

New Update
ગીર સોમનાથ : 170 કીમીની ઝડપે ફુંકાયા પવનો, જુઓ તારાજીના હચમચાવી દેતા દ્રશ્યો

અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્રની ધરા પર ટાઉતે વાવાઝોડાની આફતે ગીરસોમનાથ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે. તાઉટે વાવાઝોડુ દીવના દરિયાકિનારે વણાકબારા પાસે ટકરાયું હતું. વાવાઝોડાના પગલે 170 કીમીથી વધારે ઝડપે ફુંકાયેલા પવનથી ઉના સહિતના શહેરોમાં કાચા મકાનો અને દુકાનોના પતરા અને વીજથાંભલાઓ તેમજ વૃક્ષો પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ ગયાં હતાં.

publive-image



ગીર સોમનાથ જિલ્લામાં તબાહી જોતાં કચ્છમાં આવેલા ભુકંપની યાદો તાજી થઇ રહી છે. ઉના તેમજ જિલ્લાના અન્ય સ્થળોએ વાવાઝોડાની વિનાશકતાના ભયાવહ દ્રશ્યો જોવા મળી રહયાં છે. તબાહીનો મંજર જોતાં લોકોએ રાત કેવી રીતે વીતાવી હશે તેની કલ્પના માત્ર ધ્રુજારી છુટાવી દે તેવી છે. રાતના 8 વાગ્યાથી વાવાઝોડા અને વરસાદની બેવડી કુદરતી આફતનો માર ગીરસોમનાથવાસીઓ ઝીલતાં ગયાં હતાં. સુસવાટા મારતો પવન, વરસાદનો અવાજ વાતાવરણને ભયાનક બનાવી દેતાં હતાં અને તેવામાં આખા પંથકમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. મંગળવારે સવારે વાવાઝોડાથી થયેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યાં હતાં. ઉના શહેરની વાત કરવામાં આવે તો રવિવાર સુધી ધબકતું ઉના સોમવારની કાળમુખી રાત્રિએ વેરાન બની ગયું હતું. જયાં જુઓ ત્યાં પતરા, વૃક્ષો અને વીજપોલ તુટેલા જોવા મળતાં હતાં. વહીવટીતંત્રએ લોકોને સલામત સ્થળોએ ખસેડી લીધાં હોવાથી જાનહાનિ થઇ ન હતી. વેરાવળ પાસે આવેલાં સુત્રાપાડામાં પણ તારાજી જોવા મળી હતી. મંગળવારે વાવાઝોડાનું જોર નરમ પડતાં તુટી પડેલા વૃક્ષો અને વીજથાંભલાઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એક તરફ કોરોનાના કહેર વચ્ચે જનજીવન ખોરવાય ગયું છે તેવામાં વાવાઝોડાથી પડતા પર પાટુ જેવો માહોલ છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

New Update
Screenshot_2025-07-22-18-04-10-75_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. આજે વડોદરા તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.
હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહનચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું. રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહનચાલકો ત્રાસી ઉઠ્યા છે. હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યે છે.