અમરેલી સાવરકુંડલા પાલિકાને MLA મહેશ કસવાળાના હસ્તે 1 જેસીબી અને 7 કચરા ગાડી અર્પણ કરાઇ

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભીનો, સુકો કચરો ભરવા માટે ડોર ટુ ડોર જઈ શકે તેવી 7 કચરા ગાડી અને 1 જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું

New Update

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાને ધારાસભ્ય મહેશ કાશવાળાના હસ્તે 1 કરોડના સાધનો અર્પણ કરાયા

અમરેલી જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભીનોસુકો કચરો ભરવા માટે ડોર ટુ ડોર જઈ શકે તેવી 7 કચરા ગાડી અને 1 જે.સી.બી.નું લોકાર્પણ ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના સતાધીશો અને શહેરના નાગરિકોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જે રીતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના વોર્ડમાં ઘરે ઘરે ફરીને કચરો ઉઘરાવી શકે તેવી 7 ગાડી ફાળવવામાં આવેલ હતી સાથે 1 જે.સી.બી. પણ ફાળવીને સરકારના સ્વચ્છતા મિશનને ખરા અર્થમાં સાર્થક કરવાના ધ્યેયથી કાર્ય કરતું હોવાનું ધારાસભ્ય મહેશ કસવાળાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું જ્યારે છેલ્લા એક દોઢ વર્ષથી જે રીતે પાલિકા તંત્ર દ્વારા શહેર સફાઈ અભિયાન અને સ્વચ્છતા મિશન અંતર્ગત જે કામગીરીઓ કરી રહ્યું છે તે પણ ઉડીને આંખે વળગે તેવી કામગીરીઓ માટે પાલિકા તંત્રના અધિકારીઓ અને સતાધીશોની કુનેહને આભારી હોવાનું ધારાસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યું હતું

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.