ગોઝારો’ ઘાટ : ડાંગના સામગહાન-સાપુતારા વચ્ચે 9 KMના માર્ગમાં 3 બ્લેક સ્પોટ, અકસ્માતો નિવારવા તંત્રનું નિરીક્ષણ...

પ્રવાસીઓથી ધમધમતા ડાંગ જીલ્લામાં સાપુતારા ઘાટ માર્ગ એ ગોઝારો સાબિત થયો છે. સાપુતારા ઘાટ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે

New Update
  • સાપુતારા ઘાટ માર્ગ ઉપર વધતી અકસ્માતોની ઘટના

  • અકસ્માતોની ઘટનાઓને નિવારવા તંત્ર દ્વારા કામગીરી

  • પોલીસહાઈવે ઓથોરીટી અનેRTO પ્રશાસન કામે લાગ્યું

  • 9 કિમીના માર્ગ પર 3 બ્લેક સ્પોટ ખાતે નિરીક્ષણ કરાયું

  • માર્ગો પહોળા કરવાસાઈન બોર્ડ મુકવા સહિતના સૂચન

ડાંગ જીલ્લાના સાપુતારા ઘાટ માર્ગ ઉપર વધતી અકસ્માતોની ઘટનાઓને નિવારવા પોલીસહાઈવે ઓથોરીટી અનેRTO પ્રશાસન દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

પ્રવાસીઓથી ધમધમતા ડાંગ જીલ્લામાં સાપુતારા ઘાટ માર્ગ એ ગોઝારો સાબિત થયો છે. સાપુતારા ઘાટ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. એટલું જ નહીંઅહી અકસ્માતોની ઘટનામાં અનેક લોકોના મોત પણ થયા છેત્યારે અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે ડાંગ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડાંગ જીલ્લા પોલીસડાંગRTO આધિકારી તેમજ નેશનલ હાઈવે વિભાગના અધિકારી દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે.

જેમાં ત્રણેય વિભાગના અધિકારીઓએ સામગહાન અને સાપુતારા વચ્ચેના 9 કિલોમીટરના માર્ગ પર 3 જેટલા બ્લેક સ્પોટ ખાતે નિરીક્ષણ કરી પોતાના મંતવ્યો જણાવ્યા હતા. વધુમાં જ્યાં પણ બ્લેક સ્પોટ છેત્યાં માર્ગો પહોળા કરવાજનજાગૃતિ માટે સાઈન બોર્ડ મુકવાબ્લીન્કીંગ લાઈટ લગાવવી તેમજ ટેકનીકલ ખામી દૂર કરવાના જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.