ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, ભરૂચ જિલ્લાનું 75.50% પરિણામ જાહેર થયું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
BY Connect Gujarat Desk31 May 2023 11:15 AM GMT
X
Connect Gujarat Desk31 May 2023 11:15 AM GMT
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું છે. ગયા વર્ષે 86.91 ટકા રિઝલ્ટ હતું. ભરૂચ જિલ્લાનું 75.50 ટકા પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં એ વન ગ્રેડમાં નવ એ ટુ ગ્રેડમાં 243 વિદ્યાર્થીઓ આવ્યા હતા.આ તરફ ભરૂચ જિલ્લામાં નેત્રંગ કેન્દ્રનું સૌથી વધુ 86.99 ટકા પરિણામ જાહેર થયું છે અને જંબુસર કેન્દ્રનું સૌથી ઓછું 66.40 ટકા પરિણામ જાહેર થયું છે
Next Story