/connect-gujarat/media/post_banners/286c460db3b1f594d473e437614c383bf8777bee5fb28f60769d64b1f6b8db29.jpg)
સોમનાથ મહાદેવ મંદિર ખાતે અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા
૧૭ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહયો છે ત્યારે પ્રતિ વર્ષ પવિત્ર શ્રાવણ માસ પ્રારંભના રવિવારે છેલ્લા ૧૩ વર્ષથી દેશના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા-સફાઈ કરી પોતાની અનોખી શિવભકિત દાખવતા અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 340 જેટલા સેવક-ભકતો સોમનાથ મહાદેવ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના મંદિરોમાં સફાઈ માટે આવી પહોંચ્યા હતા.બાપા સીતારામ ટ્રસ્ટના પ્રમુખ હરીશ સોનીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સમગ્ર શ્રાવણ માસ અખૂટ શ્રધ્ધાથી આવતા ભાવિકોની સેવામાં અને શિવ ભકિતના એકાકાર સમું આ અભિયાન અમો છેલ્લા ૨૦ વર્ષથી કરીએ છીએ.