અમરેલીના બાબાપુર ગામે માનવભક્ષી દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો

છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છે. એવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીક બનવા પામી હતી.

New Update

છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છેએવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીકબનવા પામી હતી. જ્યાં એકઘરઆંગણે રમતા બાળકને દીપડો ઢસડી ગયો હતો મોઢું દબોચી લેતા આ ઘટનામાં માસૂમનું કરૂણ મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર અમરેલીના બાબાપુર ગામ નજીક બાળક પર દીપડાના હુમલાની કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વાડીમાં રમતા વર્ષીય બાળકને એક દીપડો ઢસડી ગયો હતો. મોઢું દબોચી લેતા બાળકનું ઝડબું બહાર કાઢી લીધુ હતું. આ દરમિયાન નજીકમાં જ હાજર પરિવારના સભ્યોએ તૂરંત દીપડાની પાછળ દોડ્યા હતા જેને પગલે ઘાસમાં બાળકને ફેંકીને દીપડો ભાગી ગયો હતો. જોકેદીપડાએ બાળકને ફાડી ખાધો હતોજેથી તેનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે તો સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

આ ઘટનાની જાણ થતાં  વનવિભાગની ટીમો દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી છે. આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. દીપડાને તાત્કાલિક પકડવા માટેની માંગ કરી હતી. પરિવારના સભ્યોએ કિશોરને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ તે પહેલા જ તેનું મોત થઈ ગયુ હતું. આસપાસના ખેડૂતો અને લોકોમાં આ ઘટના ને પગલે ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે અને ફફડાટ ફેલાયો છે ઝડપથી વનવિભાગ દીપડાને પકડી દૂર ખસેડવાની લોકોએ માંગ ઉઠાવી છે.મોડી રાતે બાબાપુર આસપાસના વિસ્તારમાં વનવિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આજે ફરી દીપડાનું સ્કેનિંગ કરી દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.