અમરેલીના બાબાપુર ગામે માનવભક્ષી દીપડાએ 7 વર્ષના બાળક પર હુમલો કર્યો

છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છે. એવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીક બનવા પામી હતી.

New Update

છાશવારે દીપડાઓના આંટાફેરા અને હુમલાની ઘટના સામે આવતી રહતી હોય છેએવી જ એક ઘટના અમરેલી જિલ્લાના બાબાપુર ગામ નજીક બનવા પામી હતી. જ્યાં એક ઘરઆંગણે રમતા બાળકને દીપડો ઢસડી ગયો હતો મોઢું દબોચી લેતા આ ઘટનામાં માસૂમનું કરૂણ મોત નીપજયું હતું.

 મળતી માહિતી અનુસાર અમરેલીના બાબાપુર ગામ નજીક બાળક પર દીપડાના હુમલાની કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વાડીમાં રમતા વર્ષીય બાળકને એક દીપડો ઢસડી ગયો હતો. મોઢું દબોચી લેતા બાળકનું ઝડબું બહાર કાઢી લીધુ હતું. આ દરમિયાન નજીકમાં જ હાજર પરિવારના સભ્યોએ તૂરંત દીપડાની પાછળ દોડ્યા હતા જેને પગલે ઘાસમાં બાળકને ફેંકીને દીપડો ભાગી ગયો હતો. જોકેદીપડાએ બાળકને ફાડી ખાધો હતોજેથી તેનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે તો સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

 આ ઘટનાની જાણ થતાં  વનવિભાગની ટીમો દોડી ગઈ હતી. અને તપાસ હાથ ધરી છે. આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. દીપડાને તાત્કાલિક પકડવા માટેની માંગ કરી હતી. પરિવારના સભ્યોએ કિશોરને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ તે પહેલા જ તેનું મોત થઈ ગયુ હતું. આસપાસના ખેડૂતો અને લોકોમાં આ ઘટના ને પગલે ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે અને ફફડાટ ફેલાયો છે ઝડપથી વનવિભાગ દીપડાને પકડી દૂર ખસેડવાની લોકોએ માંગ ઉઠાવી છે.મોડી રાતે બાબાપુર આસપાસના વિસ્તારમાં વનવિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આજે ફરી દીપડાનું સ્કેનિંગ કરી દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.