કચ્છ : પડાણા નજીક શંકર ટીમ્બરમાં લાગી ભીષણ આગ,30 મીટર દૂર પેટ્રોલ પંપે રેસ્ક્યુ ટીમની ચિંતામાં કર્યો વધારો

કચ્છના પડાણા નજીક શંકર ટીમ્બરમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી,જોકે અંદાજિત માત્ર 30 મીટર દુરી પર આવેલા પેટ્રોલ પંપના કારણે બચાવ કામગીરી કરતી રેસ્ક્યુ ટીમની ચિંતામાં વધારો થયો હતો.

New Update

નેશનલ હાઇવે બંને તરફથી કરાયો બંધ, ફાયર બ્રિગેડ બચાવ કામગીરીમાં લાગ્યું

કચ્છના પડાણા નજીક શંકર ટીમ્બરમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી,જોકે અંદાજિત માત્ર 30 મીટર દુરી પર આવેલા પેટ્રોલ પંપના કારણે બચાવ કામગીરી કરતી રેસ્ક્યુ ટીમની ચિંતામાં વધારો થયો હતો.

કચ્છના ભચાઉ-ગાંધીધામ કોરીડોર હાઈવે પર જવાહર નગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી.

ગોડાઉનથી માત્ર 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેરી લેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.ઘટના અંગેની જાણ કંડલા,ગાંધીધામ અને ભચાઉના ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરી માટે દોડી આવી હતી,અને કુલ 6 ફાયર મશીનો સાથે 15 થી 16 જેટલા પાણીના ટેન્કર જીવના જોખમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા નેશનલ હાઇવે પર બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.