અમરેલી : ઘરની બહાર સૂતા આધેડ વ્યક્તિને દીપડાએ ફાડી ખાતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું...

ધારી તાલુકામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. સોઢાપર ગામે આધેડ વ્યક્તિ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. બનાવના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો

New Update
  • ધારી તાલુકા સોઢાપર ગામમાં ચાર પગનો આતંક

  • ઘરની બહાર સૂતા આધેડ પર દીપડાએ કર્યો હુમલો

  • દીપડાના હુમલામાં આધેડને પહોચી ગંભીર ઇજાઓ

  • હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આધેડનું મોત થયું

  • દીપડાને વહેલી તકે પાંજરે પુરવા ગ્રામજનોની માંગ

અમરેલી જિલ્લાના ધારી તાલુકા સોઢાપર ગામે દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ આધેડ વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસારઅમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી ફરી એકવાર ચાર પગનો આંતક સામે આવ્યો છે. સોઢાપર ગામે આધેડ વ્યક્તિ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. બનાવના પગલે આસપાસના મોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રમેશ શંભુભાઈ મસાલીયા ગત રાત્રિના સમયે ઘરના ફળિયામાં સૂતા હતાત્યારે દીપડાએ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોચી હતી.

દીપડાના હુમલાથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ધારી બાદ વધુ સારવાર માટે અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકેઆજરોજ સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત રમેશ મસાલીયાનું કરૂણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેઅમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વખત દીપડા દેખાતા હોવાથી ગામલોકોમાં ભય ફેલાયો છે. તેવામાં સોઢાપર ગામમાં ધસી આવેલ દીપડાને વહેલી તકે પાંજરે પુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.