Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 283 નવા પોઝિટિવ કેસ નોધાયા, 770 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 283 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મોત થયા છે

Covid-19 : રાજ્યમાં આજે 283 નવા પોઝિટિવ કેસ નોધાયા, 770 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 283 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10018 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.84 ટકા છે.

સુરત કોર્પોરેશનમાં 48, અમદાવાદ કોર્પોરેશન 47, રાજકોટ કોર્પોરેશનમાં 18, સુરતમાં 18, ગીર સોમનાથ 15, વડોદરા કોર્પોરેશન 15, જુનાગઢ 13, વડોદરા 11, ભરુચ 9, કચ્છ 8, વલસાડ 8, આણંદ 7, નવસારી 7, મહેસાણા 6, દેવભૂમિદ્વારકા 5, જામનગર કોર્પોરેશન 5, જુનાગઢ કોર્પોરેશન 5, પંચમહાલમાં 5, બનાસકાંઠા 4, ખેડા 4, સાબરકાંઠા 4, અમરેલી 3, ગાંધીનગર 3, મોરબી 3, જામનગર 2, મહીસાગર 2, તાપી 2, ભાવનગર 1, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 1, પોરબંદર 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાને કારણે સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત 1, ગાંધીનગર 1, ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 7,749 એક્ટિવ દર્દી છે, જે પૈકી 203 લોકો વેન્ટિલેટર પર છે અને 7,546 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,03,892 લોકો ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 17 જૂનના રોજ 2,52,543 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,12,92,259 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Next Story