બનાસકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસને માનવામાં આવે છે અશુભ,જુઓ શું છે પરંપરા

ગુજરાત | Featured | સમાચાર , ભારત ભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે,આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે

New Update
ભારત ભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે,આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે,એટલે કે રક્ષા બંધનનાં એક દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવવામાં આવે છે.બહેનો પોતાના ભાઈઓને રક્ષા બંધનનાં એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓનાં લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરે છે.
સમગ્ર દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવાશે,પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે.વર્ષો પહેલાંની પરંપરા આજે પણ યથાવત છે.ચડોતર ગામમાં આજથી વર્ષો પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબુમાં આવતો ન હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા,ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો.ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું.વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમા માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે. ત્યારે  પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું.જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસે  ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે.
Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.