AAPના CM પદના કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે, જ્યારે ભાજપમાંથી પબુભા માણેક મેદાને

વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

New Update
AAPના CM પદના કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે, જ્યારે ભાજપમાંથી પબુભા માણેક મેદાને

વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટી જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટી ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

Advertisment W3.CSS

AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયા ટિકિટ આપી શકે છે, ત્યારે એમ કહી શકાય કે. દ્વારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જોકે, દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઇટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કર્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળતા ઈસુદાન ગઢવીને AAPએ CM પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરત કતારગામ બેઠક પરથી, જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કારંજ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.