અમદાવાદ : ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ મહિલા મોરચાનો પુષ્પાંજલિ કાર્યક્રમ
નહેરૂનગર ખાતેથી રેલી યોજવામાં આવી, રાણી લક્ષ્મીબાઇના પુતળાને પુષ્પો અર્પણ કરાયાં.
BY Connect Gujarat18 Jun 2021 8:20 AM GMT
X
Connect Gujarat18 Jun 2021 8:20 AM GMT
અંગ્રેજો સામેની લડાઇમાં શહીદ થયેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના મહિલા મોરચાના ઉપક્રમે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા અનેક નામી- અનામી લોકોએ બલિદાન આપ્યાં છે. આવા શહીદો પૈકી એક એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ... છેલ્લા શ્વાસ સુધી તેમણે અંગ્રેજોને હંફાવ્યાં હતાં. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના મહિલા મોરચાના ઉપક્રમે નહેરૂનગરથી રેલી યોજવામાં આવી હતી. પાઘડીધારી મહિલા આગેવાનો અને કાર્યકરોએ લોકોમાં આર્કષણ જમાવ્યું હતું. કેસરી સાફા ધારી મહિલાઓએ રાણી લક્ષ્મીબાઇના પુતળાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દિપિકા સરાડવા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.
Next Story
વડોદરા : સ્માર્ટ સીટીના સ્માર્ટ વચનો પોકળ સાબિત થયા, પાણીની લાઇનમાં...
28 May 2022 10:33 AM GMTધર્મ વિરુદ્ધ ટિપ્પણી કે પોસ્ટ કરતા પહેલા ચેતી જજો, ગુજરાત સાયબર સેલ...
28 May 2022 10:25 AM GMTઅમદાવાદ : છેલ્લા એક વર્ષમાં CNGમાં 51 ટકાનો ભાવ વધારો,પેટ્રોલ-ડિઝલની...
28 May 2022 10:13 AM GMTઅંકલેશ્વર : ખાનગી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ થતાં...
28 May 2022 9:40 AM GMTAGL સતત ત્રીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન ચાલુ, મોટા પ્રમાણમાં બેનામી...
28 May 2022 8:37 AM GMT