અમદાવાદ : ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો માર્ગ મોકળો, પોલીસે આપી મંજુરી
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા પહેલાં જળયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે જળયાત્રા કાઢવા માટે પોલીસ તંત્રએ શરતોને આધીન મંજુરી આપતાં ભકતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે......
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા પહેલાં જળયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે જળયાત્રા કાઢવા માટે પોલીસ તંત્રએ શરતોને આધીન મંજુરી આપતાં ભકતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે......
ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા તથા જળયાત્રા સિમિત બની ગયાં હતાં. આ વર્ષે પણ કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી રથયાત્રા અને જળયાત્રાને પરવાનગી મળશે કે કેમ તે અંગે અસમંજસની સ્થિતિ પ્રર્વતી રહી હતી. બીજી તરફ મંદિરના ટ્રસ્ટીઓએ જળયાત્રા કાઢવા માટે પોલીસ વિભાગ પાસે મંજુરી માંગી હતી. મંદિરના ટ્રસ્ટીઓની અરજીના સંદર્ભમાં પોલીસે શરતોને આધીન રહી જળયાત્રાની મંજુરી આપી છે. અગાઉના વર્ષોમાં જળયાત્રા વાજતે ગાજતે નીકળતી હતી અને તેમાં હજારો લોકો સામેલ થતા હતાં. પણ આ વર્ષે સાદગીથી જળયાત્રા કાઢવાની રહેશે અને તેમાં 50 વ્યકતિઓને જોડાવાની પરવાનગી આપવામાં આવી છે.....
24 જૂને યોજાનારી જળયાત્રામાં સાબરમતી નદીના કિનારે વિધિવત રીતે ગંગાપુજન કરાશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે. આ વખતે જળયાત્રામાં ભજન મંડળીઓ કે અખાડાઓને સામેલ થવાની મંજુરી આપવામાં આવી નથી. દર વર્ષે જળયાત્રામાં 18 ગજરાજ હોય છે પણ આ વખતે એક જ ગજરાજ જોડાશે. જળયાત્રાને મંજુરી બાદ હવે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજુરી મળે તેવા સંજોગો જોવાઇ રહયાં છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMTભરૂચ:દહેજની ભારત રસાયણ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના...
19 May 2022 11:06 AM GMTભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે...
19 May 2022 10:41 AM GMT