દ્વારકા : કલ્યાણપુરમાં નવો બનેલો રોડ બે મહિનામાં જ તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો, ઉચ્ચ સ્તરીય તપાસની કરાઈ માંગ

કલ્યાણપુર પંથકમાં આવેલા ગઢકાથી સીદસરા ગામને જોડતો નવો બનેલો રોડ માત્ર બે જ મહિનામાં તૂટી પડ્યો છે, જેના કારણે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે

New Update
  • કલ્યાણપુરમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર 

  • બે મહિના પહેલા જ બનેલો રોડ તૂટી પડ્યો 

  • રસ્તો ખખડધજ બની જતા સ્થાનિકોમાં આક્રોશ 

  • સ્થાનિક લોકોએ તંત્ર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ 

  • ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરતા સ્થાનિકો  

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગઢકાથી સીદસરા ગામને જોડતો નવો બનેલો રોડ માત્ર બે મહિનામાં જ તૂટી પડ્યો છે.જેના કારણે સ્થાનિક લોકોએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આવેલા ગઢકાથી સીદસરા ગામને જોડતો નવો બનેલો રોડ માત્ર બે જ મહિનામાં તૂટી પડ્યો છેજેના કારણે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતાં મુસાફરી જોખમી બની ગઈ છે અને ગ્રામ્ય પંથકના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડના નિર્માણમાં ગુણવત્તા વિહોણું કામ થયું હોવાનું અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ પણે જણાઈ રહ્યું હોવાથી તાત્કાલિક ઉચ્ચ કક્ષાની તપાસ કરાવવાની માંગ ઉઠી છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ ઘટના કલ્યાણપુર પંથકમાં વિકાસના નામે થતા કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિકોની માંગ છે કે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.