દિવાળીના તહેવારો વચ્ચે આજે “પડતર દિવસ”, જાણો શું હોય છે સમગ્ર ખગોળીય ઘટના..!

દિવાળીમાં સામાન્ય રીતે ધનતરેસથી લઇને ભાઇબીજ સુધી 5 દિવસના તહેવારો આવે છે. તિથિઓના કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે કરવી તે અંગે લોકોને અસમંજસ હતી.

New Update

દિવાળીમાં સામાન્ય રીતે ધનતરેસથી લઇને ભાઇબીજ સુધી 5 દિવસના તહેવારો આવે છે. તિથિઓના કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે કરવી તે અંગે લોકોને અસમંજસ હતી. જોકેઆ વર્ષે પણ દિવાળીના તહેવારો વચ્ચે એક પડતર દિવસ એટલે કેખાલી દિવસ આવ્યો છે. તેવામાં દરેકના મનમાં એક સવાલ તો થાય જ છે કેઆ પડતર દિવસ કેમ આવે છે..?, ત્યારે કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં જાણીએ દિવાળી પર્વમાં આવતી પડતર દિવસની ખગોળીય ઘટના...

Advertisment

દિવાળીના તહેવારોની વચ્ચે આ વર્ષે વધારાનો દિવસ એટલે કેપડતર દિવસ આવ્યો છે. એટલે કેસામાન્ય રીતે કહીએ તોએક વર્ષ પૂર્ણ થાય અને બીજું વર્ષ શરૂ થાય તેની વચ્ચેનો વધારાનો દિવસ. જોકેઆવું થવા પાછળનું કારણ એ છે કેભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાના આધારે બનતી તિથિથી થાય છે. હિન્દુ તહેવારોજેમાં દિવાળી પણ સામેલ છેતે ચંદ્ર દિવસો અથવા તિથિઓ પર આધારિત હોય છે.

તો બીજી તરફઆપણે રોજિંદા જીવનમાં જે મહિનાઓ અને તારીખને અનુસરીએ છીએતે ગ્રેગોરિયન  કેલેન્ડર એટલે કેઅંગ્રેજી કેલેન્ડર સૂર્યોદય આધારિત હોય છે. હવે ચંદ્ર આધારિત હિંદુ પંચાગ અને અંગ્રેજી કેલેન્ડર વચ્ચે તાલમેલ સાધવા માટે પડતર દિવસનો ઉમેરો થયો છે. અંગ્રેજી કેલેન્ડરને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે. તેની શરૂઆત રોમથી કરવામાં આવી હતીઅને તેનો સંબંધ ઈસા મસીહના જન્મ સાથે છે. ઈસા મસીહના જન્મ પહેલાના સમયને ઈસા પૂર્વ અને પછીના સમયને ઈસવીસન કહેવામાં આવે છેજ્યારે અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે અંગ્રેજી કેલેન્ડર પણ લઈને આવ્યા હતા.

હિન્દુ રાષ્ટ્રમાં પરંપરાગત રીતે દિવાળી કાર્તિક અમાસની તિથી પર ઉજવવામાં આવે છે. જોકેઅમાસ ઘણી વખત રાતે મોડેથી શરૂ થાય છેઅને બીજા દિવસ સુધી ચાલે છે. જેના કારણે દિવાળી કયા દિવસે ઉજવવી તે અંગે અનિશ્ચિતતા થતી હોય છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓ 30 ભાગમાં વહેચવામાં આવી છેજ્યારે ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતા પણ ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. જેથી દર મહિને પચાંગમાં એકાદ તિથીનો ફેરફાર થતો હોય છે. તેથી ચંદ્રની તિથી સુર્યોદય સમયે જ હોય તેને સમગ્ર દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ ચંદ્રના ફેરફારના કારણે શક્ય છે કેદિવસ દરમિયાન તિથિ બદલાય શકે છે.

દિવાળીના તહેવારોમાં આ વર્ષે અમાસની તિથિ 2 દિવસ સુધી ચાલશે. જે એક વિચિત્ર પરિસ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં લોકો પહેલી અમાસના દર્શનના આધારે તહેવારોની ઉજવણી કરે છેજ્યારે અન્ય સ્થળોએ બીજી અમાસના દિવસે દીપોત્સવની ઉજવણી થાય છે. જોકેઅનેક વખત એવું બને છે કેધાર્મિક જ્યોતિષીઓ અલગ અલગ વિસ્તારોમાં અલગ તારીખ અને મૂર્હત જાહેર કરે છે. જેના કારણે તારીખમાં વૈવિધ્ય અને તફાવત આવે છે. ચંદ્રની ગતિ અને તિથિની શરૂઆત અલગ રીતે ગણવામાં આવતા કેટલાક કેલેન્ડર દિવાળી એક દિવસ બતાવે છે.

દિવાળીના તહેવારોમાં પડતર દિવસ અંગે શાસ્ત્રવિદોનું માનવું છે કેપડતર દિવસ બાદ નવા વર્ષની શરૂઆત સવારે દેવ દર્શનથી જ થવી જોઇએએવી માન્યતાના કારણે તરત જ પછીના દિવસે સવારે પહેલી તિથિ ચાલુ હોય એ દિવસને નવા વર્ષનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ 2 વર્ષની વચ્ચે 2માંથી એક પણ વર્ષનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.

Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment