અમરેલી : વીજ કરંટ લાગતાં 3 યુવકોના મોત, પરિવારજનો પર વજ્રઘાત

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતાં એક જ પરિવારના 3 યુવકો મોતને ભેટ્યા હતા.

New Update

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતાં એક જ પરિવારના 3 યુવકો મોતને ભેટ્યા હતા. બનાવના પગલે મૃતકોના પરિવાર પર વજ્રઘાત આવી પડ્યો હતો.

સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છેત્યારે અમરેલી જીલ્લામાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે. તેવામાં ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે નવા મકાનના સ્લેબ ભરવા હેતુ રેતી ચાળવાનું મશીન ચાલુ કરવા જતા અચાનક જ વીજ કરંટ લાગતાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી. જે બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાજ્યાં ફરજ પરના તબીબે ત્રણેય યુવકોને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે પોલીસે 3 યુવકોનું વીજ કરંટથી આકસ્મિક મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના 32 વર્ષીય પથુભાઇ જીલુભાઈ બોરીચા30 વર્ષીય માનકુભાઈ જીલુભાઈ બોરીચા અને 22 વર્ષીય ભવદીપભાઈ બાબાભાઈ બોરીચાના મોતના પગલે પરિવારજનો પર વજ્રઘાત આવી પડ્યો હતો.

Latest Stories