Connect Gujarat
ગુજરાત

અમરેલી: મોદી પરિવાર સભામાં આપના 40 કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

અમરેલી જિલ્લાના લાઠી ખાતે યોજાયેલ ભાજપની મોદી પરિવાર સભામાં આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા

X

અમરેલી જિલ્લાના લાઠી ખાતે યોજાયેલ ભાજપની મોદી પરિવાર સભામાં આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે.અમરેલીના લાઠી ખાતે મોદી પરિવાર સભા યોજાઇ હતી જેમાં આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકર્તાઓએ કેસરિયો કેસ ધારણ કર્યો હતો.લાઠી આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત અનેક આગેવાનો ભાજપમાં જોડાયા હતા.લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાએ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમમર સામે પ્રહારો કર્યા હતા.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Next Story