-
સાવરકુંડલાનો વિચિત્ર બનાવ
-
બાળકની પાંપણમાં હતા જુ જેવા જંતુ
-
8 વર્ષીય બાળક દર્દથી પીડાતુ હતું
-
લલ્લુભાઈ આરોગ્ય મંદિર બન્યું મદદરૂપ
-
નિષ્ણાંત તબીબે બાળકની કરી ટ્રીટમેન્ટ
-
પાંપણમાંથી 28 જીવાત બહાર કાઢી
-
બાળકને મળ્યો દર્દમાંથી છુટકારો
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી હતી,એક નાનકડા 8 વર્ષના બાળકની પાંપણ પર 28 જેટલી જુ જેવા જંતુઓ જોવા મળતા ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.ત્યારે નિષ્ણાંત ડોક્ટર દ્વારા બાળકને તેના દર્દમાંથી ઓપરેશન વગર છુટકારો આપ્યો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ છે જે નિઃશુલ્ક હોસ્પિટલ છે.આ હોસ્પિટલમાં એક બાળકનો કેસ આવ્યો હતો.જેમાં 8 વર્ષના બાળકની આંખની પાંપણમાં દુખાવો અને ખંજવાળની ફરિયાદ ડોકટરને કરી હતી. દર્દીની આંખ પણ લાલ થઈ ગઈ હતી. દર્દીએ અગાઉ બે ડોક્ટરને બતાવ્યું હતું પરંતુ દર્દીના આંખમાં દુખાવો અને ખંજવાળની ફરિયાદ રહેતી હતી.
ત્યારે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આંખ રોગના નિષ્ણાંત ડોક્ટરને બતાવતા ડોક્ટર પણ બાળકની આંખ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.ત્યારે આંખના ડોક્ટર મૃગાંક પટેલે નાની એવી સર્જરી કરવાની વાત પેશન્ટને કરી હતી. અને આશરે દોઢ કલાક ચાલેલી સર્જરીમાં 28 જેટલી જીવતી જુ જેવી જીવાત ડોક્ટર દ્વારા કાઢવામાં આવી હતી.
આ ઉપરાંત પાંત્રીસ જેટલા ઈંડા પણ આંખની પાંપણમાં જુના જોવા મળ્યા હતા.ડો.મૃગાંક પટેલે સર્જરી કરીને 28 જેટલી જીવાત અને 35 જેટલા ઈંડા બહાર કાઢ્યા હતા. ત્યારે ઓપરેશન થઈ ગયા બાદ તુરંત જ આઠ વર્ષના બાળકને રાહત થઈ ગઈ હતી,અને તરત જ રજા આપી દેવામાં આવી હતી.
આઠ વર્ષના બાળકની સર્જરી આધુનિક મશીનરી દ્વારા કરવામાં આવી હતી. અને બાળકના પાંપણમાંથી 28 જેટલી જીવાતને બહાર કાઢવામાં આવી હતી. ડો.મૃગાંક પટેલ દ્વારા ખૂબ જ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી,અને આ તપાસ દરમિયાન મોટી સંખ્યામાં જૂ જેવી જીવાતની હાજરી જોવા મળી હતી. ડોક્ટરે ઇન્જેક્શન વગર જ માત્ર આંખના ટીપા અને આધુનિક મશીનની મદદથી આ ટ્રીટમેન્ટને પાર પાડી હતી.