અમરેલી : ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારની સરપ્રાઈઝ વિઝિટ, વાહન-હોટલ ચેકિંગ કરવા સહિત પોલીસને માર્ગદર્શન આપ્યું

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

New Update
  • કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા આયોજન

  • ભાવનગર રેન્જ IG ગૌતમ પરમાર દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરાય

  • શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

  • વાહન-હોટલ ચેકિંગ કરવા સહિત પોલીસને માર્ગદર્શન આપ્યું

  • કંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા સૂચન

અમરેલી શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોમ્બિંગ નાઈટના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. આ દરમિયાન વાહન ચેકિંગહોટલ ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે. ગઈરોજ મોડી રાત્રે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતાવિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં બસસ્ટેન્ડ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવેલ અને અનિયમિત નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

તો બીજી તરફનાના બસસ્ટેન્ડ વિસ્તારમાં એક મહિલા રાત્રે રાજકોટ જવા માટે બસની રાહ જોઈ રહી હતીપરંતુ કોઈ વાહન વ્યવહાર ન હોવાથી આઈજી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ રૂમ પર કોલ કરી પોલીસની સી ટીમને બોલાવી રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરાવી હતી. આ ઘટનાએ પોલીસ તંત્રની માનવતાવાદી દૃષ્ટિ દર્શાવી છે.

કોબિંગ નાઈટના ભાગરૂપે ASP વલય વૈદ્ય સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અલગ-અલગ તાલુકા મથક પર એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા. આ સાથેકંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સરપ્રાઈઝ વિઝિટથી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે.

Read the Next Article

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના, ટાટા ગ્રુપ બાદ હવે AIR INDIAએ પણ સહાય આપવાની કરી જાહેરાત

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે.

New Update
Air India Pilot

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને ઘાયલોને ₹25 લાખ (અંદાજે 21,000 GBP) ની વચગાળાની રકમ આપવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ  થયેલા આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના દુર્ખદ અવસાન થયા હતા. આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ  પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.

AIR INDIA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા જણાવ્યું કે, "તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે અમારી ટીમો તમામ પ્રયાસો કરી રહી છે."

AIR INDIA એ તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા (Air India) તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી (Interim Payment) કરશે."

મહત્વપૂર્ણ છે કે, આ સહાય ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹1 કરોડ અથવા આશરે 85,000 GBP સહાય ઉપરાંત છે. AIR INDIA એ વધુમાં જણાવ્યું કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી તેઓ બધા દુઃખી છે.

ટાટા ગ્રુપે આ દુર્ઘટના અંગે અગાઉ જ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ  ₹1 કરોડનું વળતર આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચનો પણ ભોગ લઈશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બી.જે. મેડિકલ ના હોસ્ટેલના  નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."