અમરેલી : ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારની સરપ્રાઈઝ વિઝિટ, વાહન-હોટલ ચેકિંગ કરવા સહિત પોલીસને માર્ગદર્શન આપ્યું

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

New Update
  • કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા આયોજન

  • ભાવનગર રેન્જ IG ગૌતમ પરમાર દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરાય

  • શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

  • વાહન-હોટલ ચેકિંગ કરવા સહિત પોલીસને માર્ગદર્શન આપ્યું

  • કંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા સૂચન

Advertisment

અમરેલી શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનનાવા માટે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોમ્બિંગ નાઈટના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. આ દરમિયાન વાહન ચેકિંગહોટલ ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે. ગઈરોજ મોડી રાત્રે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતાવિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં બસસ્ટેન્ડ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવેલ અને અનિયમિત નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

તો બીજી તરફનાના બસસ્ટેન્ડ વિસ્તારમાં એક મહિલા રાત્રે રાજકોટ જવા માટે બસની રાહ જોઈ રહી હતીપરંતુ કોઈ વાહન વ્યવહાર ન હોવાથી આઈજી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ રૂમ પર કોલ કરી પોલીસની સી ટીમને બોલાવી રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરાવી હતી. આ ઘટનાએ પોલીસ તંત્રની માનવતાવાદી દૃષ્ટિ દર્શાવી છે.

કોબિંગ નાઈટના ભાગરૂપે ASP વલય વૈદ્ય સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અલગ-અલગ તાલુકા મથક પર એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા. આ સાથેકંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સરપ્રાઈઝ વિઝિટથી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે.

Advertisment
Read the Next Article

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Advertisment