અમરેલી : દુધાળાના નારાયણ સરોવરમાં પાંચ યુવા "જીંદગી"ઓ ડુબી, તમામ લાઠીના રહેવાસી
લાઠીના દુધાળા ગામના નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરો ડૂબ્યા, તમામના મૃતદેહ મળ્યા
BY Connect Gujarat Desk26 March 2022 1:05 PM GMT
X
Connect Gujarat Desk26 March 2022 1:05 PM GMT
અમરેલીના લાઠી પાસે આવેલાં દુધાળાના નારાયણ સરોવરમાં ડુબી જવાથી પાંચ કિશોરોના મોત થયાં છે. શનિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં આ દુઘર્ટના બની હતી. એક સાથે પાંચ કિશોરોના મોતના પગલે લાઠી પંથકમાં ગમગીની છવાઇ છે. લાઠી પાસે દુધાળા ગામમાં જળસંચય માટે નારાયણ સરોવરનું નિર્માણ કરાયું છે. લાઠી ખાતે રહેતાં વિશાલ મેર, નમન ડાભી, રાહુલ જાદવ, મીત ગળથીયા અને હરેશ મોરી શનિવારે બપોરના અરસામાં નારાયણ સરોવરમાં ન્હાવા પડયાં હતાં.
દરમિયાન પાંચેય ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. સરોવરમાં કિશોરો ડુબ્યાં હોવાની જાણ થતાં શોધખોળ શરૂ કરાય હતી અને પાણીમાંથી પાંચેયના મૃતદેહ મળ્યાં હતાં. બનાવના પગલે આખા પંથકમાં ગમગીની ફેલાય છે. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ ચુકી છે ત્યારે આ પાંચેય કિશોરો સરોવરમાં ન્હાવા માટે આવ્યાં હોવાનું અનુમાન લગાવાય રહયું છે.
Next Story