અમરેલી : ઉનાળાના આરંભે કમોસમી વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ઘેરાયા ચિંતાના વાદળો...

અમરેલી જિલ્લામાં ઉનાળાના આરંભ પહેલા જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી

New Update
અમરેલી : ઉનાળાના આરંભે કમોસમી વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ઘેરાયા ચિંતાના વાદળો...

અમરેલી જિલ્લામાં ઉનાળાના આરંભ પહેલા જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આજે બપોર બાદ એકાએક કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

Advertisment

હવામાન વિભાગ દ્વારા આગામી તા. 6 અને 7મીએ અમરેલી પંથક સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામા આવી છે. આ આગાહી મુજબ અમરેલી જિલ્લામાં આ 2 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. જોકે મહતમ તાપમાન વચ્ચે બપોર બાદ ધારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. ધારીના સુખપુર, કાંગસા, ગોવિંદપુર સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેસર કેરીના ગઢ ગણાતા ધારી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ સાથે જ ચણા, ઘઉં અને ધાણાના તૈયાર પાકને પણ નુકશાન થવાની ભીતી સેવાય રહી છે. તો બીજી તરફ, સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકમાં વરસાદી વાતાવરણથી વાદળો ઘેરાયા હતા, જ્યાં હળવા વરસાદી છાંટા પડતાં સમગ્ર પંથકમાં યથાર્થ ઠરી હતી.

#summer season #BeyondJustNews #Connect Gujarat #Unseasonal rains #Gujarat #Amreli #Worry #farmers
Advertisment
Latest Stories
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના...

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment
Latest Stories