/connect-gujarat/media/post_banners/3eb14f4c74d594ea718e666961b4422c13426cbc262f9fb865aa3eac73304f84.jpg)
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે રવીપાકમા ઘઉંના પાકનું મબલખ વાવેતર થયા બાદ ઘઉં પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવ્યા હોય તેમ ઘઉંમાં પ્રથમવાર ઈયળ આવવાની ઘટના ઘટતા જગતના તાત ચિંતાતુર બન્યા છે
આ છે અમરેલી જિલ્લાના ખાંભા ગીરનું ભાડ ગામ..... ભાડ ગામમાં ઘઉંની ખેતી આ વખતે વધુ પડતી થઈ છે પણ ખેડૂતોએ પકવેલા ઘઉંની ડુંડીમાં ઈયળોએ પ્રવેશ કરતા ધરતીનો તાત ચિંતાતુર બન્યો છે.ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચ કરીને ઘઉં પણ લીલા છમ લહેરાઈ રહ્યા છે પણ ઘઉંના પાકમાં પ્રથમવાર ઈયળો જોવા મળતા ખેડુતોની પરસેવાની કમાણી ઘઉંના પાકમાં સમાણી જેવો ઘાટ ઘડાયો છે. ઘઉંમાં આવેલ ઈયળોથી લીલોછમ છોડ ઉપરથી સુકાઈ જાય છે જેના કારણે ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે
ખાંભા ગીરના ભાડ ગામના ખેડુતોએ ઘઉંના વાવેતરમાં 1800 રૂપિયાનું બિયારણ, વાવેતરની મજૂરી, ખાતર સહિત ના ખર્ચ કર્યા બાદ ઘઉં ઉગી નીકળ્યાં પણ નીચે ડુંડી માં પ્રથમવાર ઈયળ જોવા મળતા ખેડૂતો પણ અચરજ અનુભવી રહ્યા છે. આ તરફ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 34 હજાર હેક્ટરમાં ઘઉંના વાવેતરમાં આ વખતે સીટફલાઈ નામના રોગને કારણે ઈયળો આવી છે જે પાછોતરા વાવેતરને કારણે આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.