અમરેલી : સાવરકુંડલા-મહુવા બાયપાસ માર્ગ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ..!

રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે.

New Update
અમરેલી : સાવરકુંડલા-મહુવા બાયપાસ માર્ગ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ..!

નથી વરસાદ કે, નથી લાંબો સમય વિત્યો છતા સાવરકુંડલામાં અમરેલી-મહુવા રોડને જોડતા બાયપાસ માર્ગ પર ઠેર-ઠેર ગાબડાઓ પડ્યા છે. માત્ર 4 મહિના પહેલા શરૂ થયેલ બાયપાસ રોડ જે અમરેલી, રાજુલા, પીપાવાવ, મહુવા તરફ જાય છે, તે રોડ હાલ અત્યંત બિસ્માર બન્યો છે. બાયપાસ રોડ પર મસમોટા ગાબડા જોવા મળી રહ્યા છે. બાયપાસ રોડ બનાવવા છેલ્લા 15 વર્ષથી સાવરકુંડલા વાસીઓની જંખના પર થોડા મહિના પહેલા જ બાયપાસ રોડ ખુલ્લો મુકાયો હતો. પણ રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે.

જોકે, આ રોડ પરથી પીપાવાવ અને મહુવા તરફ જવા મોટા કન્ટેનરો પસાર થાય છે. સતત વાહનો પસાર થવાના કારણે આ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. બાયપાસ રોડમાં ગાબડા પડી જતા વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન છે. હજુ ચોમાસુ બેઠું નથી ત્યાં આ બાયપાસ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલક જો સહેજ પણ નજર ચુકે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સર્જાય શકે તેમ છે. હદ એ વાતની છે કે, આ તુટેલા રસ્તાની મરામત કરવાની કોઇપણ દરકાર લેવાતી નથી. સાવરકુંડલાનો બાયપાસ અંદાજે રૂ. 25 કરોડ ઉપરાંતની રકમનો બન્યો છે. અગાઉ રૂ. 22 કરોડ જેવી રકમથી 10 કિલોમીટરનો બાયપાસ રોડ તૈયાર થયા બાદ રેલ્વે ફાટકમાં અલગથી સરકાર દ્વારા રૂ. 7 કરોડ જેવી ગ્રાન્ટ ફાળવાઇ હતી, જ્યારે રેલ્વે ફાટક નજીક રોડ તૈયાર થયો અને 4-5 મહિના પહેલા લોકાર્પણ થયેલા આ માર્ગમાં ખાડા પડતા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સવાલો ઉભા થયા છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.