અમરેલી : હનુમાનજી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર યુટ્યુબર સામે હિન્દુ સંગઠનોમાં રોષ, તંત્રને આપ્યું આવેદન...

અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.

New Update
  • હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક

  • યુટ્યુબરએ કરી બજરંગબલી વિરુદ્ધ વિવિદાસ્પદ ટીપ્પણી

  • યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો રોષ

  • વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ

અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.

અમરેલીના વસંત ચાવડા નામના યુટ્યુબરએ બજરંગબલી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવિદાસ્પદ ટીપ્પણી કરતાં વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છેત્યારે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે અમરેલી કલેક્ટર કચેરીઅમરેલી એસપી. સહિત શહેર પોલીસ મથકમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેહનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક છે. તેઓ 108 જેટલા નામોથી જાણીતાં છેજે તેમના દૈવી પાત્ર અને વ્યક્તિત્વની મહાનતા દર્શાવે છેત્યારે અમરેલીના વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી છે.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.