ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ
ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત
પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથે“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં”ના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.
તો બીજી તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.
અમરેલી : હનુમાનજી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર યુટ્યુબર સામે હિન્દુ સંગઠનોમાં રોષ, તંત્રને આપ્યું આવેદન...
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક
યુટ્યુબરએ કરી બજરંગબલી વિરુદ્ધ વિવિદાસ્પદ ટીપ્પણી
યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો રોષ
વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ
અમરેલીના યુટ્યુબર વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરવામાં આવી હતી.
અમરેલીના વસંત ચાવડા નામના યુટ્યુબરએ બજરંગબલી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવિદાસ્પદ ટીપ્પણી કરતાં વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે અમરેલી કલેક્ટર કચેરી, અમરેલી એસપી. સહિત શહેર પોલીસ મથકમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક છે. તેઓ 108 જેટલા નામોથી જાણીતાં છે, જે તેમના દૈવી પાત્ર અને વ્યક્તિત્વની મહાનતા દર્શાવે છે, ત્યારે અમરેલીના વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરી છે.
“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા Featured | સમાચાર
અંકલેશ્વર: શાંતિનગર વિસ્તારમાં વિકૃત હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ
અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી.. ભરૂચ | ગુજરાત | સમાચાર |
સુરત : ઓટો રીક્ષામાં મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ-રોકડની ચોરી કરતાં 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી...
આરોપી ફારૂક શેખ અને ખોજેમ વોરા ઓટો રીક્ષામાં મુસાફરી કરતાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા.. ગુજરાત | સુરત | સમાચાર |
ભરૂચ: રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા ઘરડાઘર ખાતે રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી
ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપ્સ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ઘરડાઘર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા ગુજરાત | સમાચાર
અંકલેશ્વર : સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરતી પોલીસ
સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં એક મહિલા ગાંજાનું વેચાણ કરે છે,જે બાતમીના આધારે પોલીસે ઘરમાં તપાસ કરતા રસોડાના ભાગે ગાંજાનો જથ્થો સંતાડ્યો હતો. ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: BTPમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈ સામે સાંસદ મનસુખ વસાવાનું નિશાન, CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ BTP માંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈના જનતા કા રાજ સંગઠનની દાદાગીરી સામે મુખ્યમંત્રીને પત્ર લખવાનો વારો આવ્યો ગુજરાત | સમાચાર |
સોનાના ભાવમાં વધારો, રૂ 800 વધીને 1,03,420 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા
ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું
“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...
ચાલતી રોડવેઝ બસ પર ઝાડ પડ્યું, ડ્રાઇવર સહિત 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત
રક્ષાબંધન પર બહેનોને ભેટ, 3 દિવસની મફત બસ મુસાફરી