અમરેલી: દિવાળીના પર્વ પર સાવરકુંડલામાં જામ્યું ઈંગોરિયા યુદ્ધ, એકબીજા પર સળગતો પદાર્થ ફેંકી અનોખી ઉજવણી

અમરેલી જિલ્લામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવે છે. યુવાનોના ગ્રૂપ દ્વારા સામસામે સળગતા ઇંગોરીય ફેંકવામાં આવે છે

New Update
અમરેલી: દિવાળીના પર્વ પર સાવરકુંડલામાં જામ્યું ઈંગોરિયા યુદ્ધ, એકબીજા પર સળગતો પદાર્થ ફેંકી અનોખી ઉજવણી

અમરેલી જિલ્લામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવે છે. યુવાનોના ગ્રૂપ દ્વારા સામસામે સળગતા ઇંગોરીય ફેંકવામાં આવે છે અને દિવાળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.

સામાન્ય રીતે દિવાળીના પર્વ પર લોકો રાત્રિના ફટાકડા ફોડી પ્રકાશના પર્વની ઉજવણી કરે છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લાં 70 વર્ષથી દિવાળીની જરા હટકે ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત પડતાં જ સાવરકુંડલાના અલગ અલગ ત્રણ વિસ્તારમાં યુવાનો એકઠા થાય છે અને સામસામે બે ગ્રુપમાં વહેંચાઈ જઈ એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકે છે. સાવરકુંડલામાં દિવાળીની રાત્રીએ ખેલાયેલા આ યુદ્ધને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. અકસ્માત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. આ પરંપરા 70 વર્ષથી ચાલી આવે છે. જો કે, હવે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ વિસ્તારમાં ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારમાં બે યુવાનો સામસામે ગ્રુપમાં વહેંચાઈ જાય છે અને એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકે છે. દિવાળી પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રિએ આવાં હજારો તૈયાર થયેલાં ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.

આ ઈંગોરિયા યુદ્ધમાં કોઈ અણબનાવ ન બને તે માટે DYSP હરેશ વોરા સાવરકુંડલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે નગરપાલિકાનું ફાયર ફાઇટર પણ રાખવામાં આવ્યું હતું. જરૂર પડે તો પાણીનો મારો પણ ચલાવી શકાય.

Read the Next Article

દાહોદ : ભાજપના નેતાની સ્કૂલમાં જ બાળકોના વાલીઓ લૂંટાયા, RTEના નિયમો વિરુદ્ધ 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે

New Update
  • દાહોદની સ્કૂલમાંRTE નિયમના ધજાગરા

  • ભાજપ નેતાની સ્કૂલે જ તોડ્યો નિયમ

  • નગરપાલિકાના પ્રમુખની સ્કૂલે તોડ્યો નિયમ  

  • 80 વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી સ્કૂલ ફી

  • PM મોદી અને કલેકટરને કરાઈ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલેRTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે,હાલ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે સરકારનાRTE નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલેRTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એકબે નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલેRTE એક્ટનો ભંગ કર્યો છે.

આ સ્કૂલ બીજા કોઇની નહીંપણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે.

એક વિદ્યાર્થીનેRTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતુંપરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી હતી.

આ પત્રમાં વાલીએ દાવો કર્યો કેRTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતુંજેના કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે.

ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર આ એક જ વિદ્યાર્થી નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે.ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે,જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની  સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે.