અમરેલી: છેલ્લા 10 દિવસમાં ત્રીજા સિંહનું ટ્રેનની અડફેટે આવી જતા મોત, સ્થાનિકોમાં રોષ
અમરેલી જિલ્લાનો બનાવ, 10 દિવસમાં ત્રીજા સિંહબાળનું મોત.
BY Connect Gujarat1 Aug 2023 9:11 AM GMT
X
Connect Gujarat1 Aug 2023 9:11 AM GMT
અમરેલી જીલ્લામાં 10 દિવસમાં ત્રીજા સિંહની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળી રહયો છે. રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જતા વધુ એક સિંહનું મોત નિપજયુ હતુ.
અમરેલી જિલ્લાનો રેલવે ટ્રેક સિંહો માટે મોતનો ટ્રેક બન્યો હોય તેમ 10 દિવસમાં ત્રીજા સિંહની મોતની ઘટના ઘટતા સિંહ પ્રેમીઓમાં આઘાત લાગ્યો છે.રાજુલાના ઊચૈયામાં 21 જુલાઈએ 2 સિંહો ગુડ્સ ટ્રેનની અડફેટે કપાયા બાદ સાવરકુંડલાના જીરા રેલવે ટ્રેક પર ગત રાત્રે 4 માસનું સિંહ બાળ મહુવા ભાવનગર પેસેન્જર અડફેટે કપાઈ જતાં વનવિભાગમાં દોડધામ મચી ગઇ હતી. વનવિભાગે રેલવે ટ્રેક પરથી સિંહબાળના શબને દૂર કરીને પછી ટ્રેન ભાવનગર તરફ રવાના કરી હતી.
Next Story