અમરેલી : બોર્ડની પરિક્ષાના પ્રથમ દિવસે ભૂલા પડેલા વિદ્યાર્થીઓની વ્હારે આવી પોલીસ, જુઓ સરાહનીય કામગીરી...

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે, ત્યારે પરિક્ષાના પ્રથમ દિવસે હેરાન પરેશાન થનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દેવદૂત સમાન સાબિત થઈ

New Update
અમરેલી : બોર્ડની પરિક્ષાના પ્રથમ દિવસે ભૂલા પડેલા વિદ્યાર્થીઓની વ્હારે આવી પોલીસ, જુઓ સરાહનીય કામગીરી...

જિલ્લાના 46 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ

ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ કરાયો

પરિક્ષાના પ્રથમ દિવસે કેટલાક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન

અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોચેલા વિદ્યાર્થીઓની વ્હારે પોલીસ

સરકારી વાહનમાં બેસાડી વિદ્યાર્થીઓને કેન્દ્રો પર પહોચાડ્યા

અમરેલી જિલ્લાના 46 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે, ત્યારે પરિક્ષાના પ્રથમ દિવસે હેરાન પરેશાન થનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દેવદૂત સમાન સાબિત થઈ હતી. સમગ્ર રાજ્યની સાથે જ અમરેલી જીલ્લામાં પણ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે, ત્યારે અમરેલી જિલ્લામાં ધોરણ 10માં 19,358 વિદ્યાર્થીઓએ 27 કેન્દ્ર પર 76 બિલ્ડીંગના 680 બ્લોકમાં પરીક્ષા આપી હતી, જ્યારે બપોર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11,091 છાત્રોએ 15 કેન્દ્ર પર 41 બિલ્ડીંગના 373 બ્લોકમાં પરીક્ષા આપી હતી.

સાથે જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્ર પર 10 બિલ્ડીંગના 113 બ્લોકમાં 1965 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો બીજી તરફ, પરિક્ષાના પ્રથમ દિવસે હેરાન પરેશાન થનાર વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દેવદૂત સમાન સાબિત થઈ હતી. સાવરકુંડલાના ખાલપર ગામેથી ચાલીને આવતા વિદ્યાર્થીઓને પોલીસે વંડા પરીક્ષા કેન્દ્ર સુધી પહોચતા કર્યા હતા. ઉપરાંત ખાંભાના ત્રાકુડા ખાતે પરીક્ષા કેન્દ્ર હોવા છતાં ભૂલમાં ડેડાણ પહોંચેલા વિદ્યાર્થીઓની વ્હારે પોલીસ આપવી હતી. રાજુલામાં પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓ માટે પોલીસ સહાયક બની હતી. સરકારી વાહનમાં પોલીસે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યાં હતા.

Read the Next Article

ગાંધીનગર : નશામાં ધૂત કાર ચાલકે રાહદારી સહિત વાહનોને અડફેટે લેતા 4 લોકોના મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

નશાની હાલતમાં કારના બેદરકાર ચાલકે રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા

New Update
  • કાર ચાલકનો નશાની હાલતમાં રફતારનો કહેર

  • રાંદેસણ પાસે સિટીપલ્સ સર્વિસ રોડ પરની ઘટના

  • કાર ચાલકે રાહદારી અને વાહનોને અડફેટે લીધાં

  • ગંભીર દુર્ઘટનામાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં

  • CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં નશાની હાલતમાં કારના બેદરકાર ચાલકે કેટલાક રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છેજ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો બીજી તરફ, CCTV ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાંથી અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાંGJ-18-EE-7887 નંબરની ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી સહિત વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યાં છેજ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છેજ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

જોકેઆ કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી છેઅને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છેજ્યારે નજીકમાં શુકન સ્કાય બિલ્ડિંગનાCCTVમાં સમગ્ર ઘટના કેદ થવા પામી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેકારની સ્પીડ લગભગ 100થી વધુ હશે. આ તરફબનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતોજ્યાંCCTV ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે કારના બેદરકાર ચાલકને રાઉન્ડઅપ કરી લીધો હોવાની વિગત પણ સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાયો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છેઅને બેદરકારીભર્યા ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે.