અમરેલી: PM આવાસ યોજના અનેક લોકો માટે બની આશીર્વાદરૂપ,ઘરના ઘરનું સપનું થયું સાકાર
પી.એમ.આવાસ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના લાભાર્થીએ ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે
BY Connect Gujarat Desk31 March 2023 5:56 AM GMT
X
Connect Gujarat Desk31 March 2023 5:56 AM GMT
પી.એમ.આવાસ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના લાભાર્થીએ ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે
દરેકનું પોતાનું ઘરનું ઘર અને પાકું મકાન હોય તે સપનું હોય છે. આ સપનું સાકાર કરવામાં સરકારની ભૂમિકા મહત્વની રહી.અમરેલીના ભીખુભાઈના સપનાને સાકાર કરવામાં સરકાર સહાયક નીવડી હતી.આ છે ભીખુભાઈનું જૂનું મકાન અને આજે તે રહે છે સુંદર રાચર ચીલાવાળા મકાનમાં. આનો શ્રેય જાય છે ભીખુભાઈની મહેનત અને પ્રધાનમંત્રી આવાસ યોજનાને.આ યોજનાના પગલે તેમનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. વર્ષ 2015થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમરેલીના જેસીંગપરામાં રહેતા ભીખુભાઈ જેવા અનેક ગરીબ મધ્યમ વર્ગના વ્યક્તિઓ અને પરિવારો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે.
Next Story