અમરેલી : કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના P.A.ની ખોટી ઓળખ આપનાર શખ્સની ધરપકડ...

ભાવેશ ગોયાણીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપી પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપી હતી

New Update
અમરેલી : કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના P.A.ની ખોટી ઓળખ આપનાર શખ્સની ધરપકડ...

પુરુષોત્તમ રૂપાલાના P.A.ની ખોટી ઓળખ આપવાનો મામલો

નકલી PA દ્વારા માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને અપાય ધમકી

પોલીસે નકલી PAની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપીને પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપવાના મામલે પોલીસે નકલી PAની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી સરકારી અધિકારી બનવાનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ નકલી સરકારી કચેરીઓ બની જતી હોય છે. તેમ હવે કેન્દ્રીય મંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી ધાકધમકી આપનારાઓ પણ સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર મનસુખ વસોયાને 2 દિવસ પહેલા મોબાઈલ કોલમાં ધમકી ભર્યા સ્વરમાં એક પાગલ પુરુષને માનવ મંદિર આશ્રમમાં રાખવા માટે કોલ આવ્યો હતો. જોકે, કોલ કરનાર આ શખ્સ ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો ભાવેશ જગદીશ ગોયાણી હોવાનું સામે આવ્યું છે.

આ વાત આટલેથી જ નહીં અટકાતા, ભાવેશ ગોયાણીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PAની ખોટી ઓળખ આપી પ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપી હતી, ત્યારે કેન્દ્રીય મંત્રીના PAના નામે ધાકધમકી આપવાના મામલે પોલીસે ભાવેશ ગોયાણીને જેલ ભેગો કરી દીધો છે. જોકે, આ શખ્સે અન્ય કોઈને કેન્દ્રીય મંત્રીના PAની ઓળખ આપી કોઈ કૃત્ય કર્યું છે કે, નહીં તે દિશામાં હાલ તો પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6,

New Update
vlcsnap-2025-06-17-10h23m17s708

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી.

ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદથી નારી ગામનું તળાવ છલકાયું હતું. ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા હતા. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા હતા.

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો હતો. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરાયા હતા. નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ ગામને એલર્ટ કરાયા હતા.  ભાવનગરના ભાલ પંથકમાં દેવળિયા-પાળીયાદ ગામનો સંપર્ક તૂટ્યો હતો. ઘેલો નદીનું પાણી કોઝવે પર ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો હતો. કોઝવે પર ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.