અમરેલી : અણધારી આકાશી આફતે ખેડૂતોને રોવડાવ્યા, ખેતીપાકો તહસનહસ થઈ જતાં હાલત કફોડી..!

કમોસમી માવઠાના મારથી ખેડૂતને પછડાટ મળી છે, જ્યારે મોટાભાગના ખેતીપાકોને નુકશાની થઈ છે

New Update
અમરેલી : અણધારી આકાશી આફતે ખેડૂતોને રોવડાવ્યા, ખેતીપાકો તહસનહસ થઈ જતાં હાલત કફોડી..!

અમરેલી જીલ્લામાં વરસ્યો હતો ભારે કમોસમી વરસાદ

ઘઉં, ધાણા, જીરું, કઠોળ સહિત ડુંગળીના પાકને નુકશાન

ખેતીપાકો તહસનહસ થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી

અમરેલી જિલ્લામાં ગતરોજ વરસેલા કમોસમી વરસાદના કાળા કહેરથી જગતના તાતને વ્યાપકપણે નુકશાનીઓ થઈ છે. કમોસમી વરસાદે ઘઉં, ધાણા, જીરું, કઠોળ સાથે ડુંગળીના પાકને તહસનહસ કરી નાખતા ધારી ગીર પંથકના ખેડૂતોની દશા કફોડી થવા પામી છે.

આ છે અમરેલી જિલ્લાના ધારી ગીર તાલુકાનું હરીપરા ગામ. ખેતી આધારિત હરીપરા ગામમાં ખેડૂતોએ ઘઉ, ધાણા, જીરું, કઠોળ અને ડુંગળી જેવા પાકોના વાવેતર કર્યા બાદ ગતરોજ ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ખેતી પાકો નષ્ટ થઇ ગયા છે, જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓ વધવા પામી છે. હજુ ચોમાસામાં પાછોતરા વરસાદથી ખેતીપાકોમાં પોષણક્ષમ ભાવો સાથે પૂરતી ઉપજ ન આવેલા ખેડૂતોને રવિપાકમાં લાભ મળવાની આશાઓ ઠગારી નીવડી હોય તેમ કમોસમી માવઠાના મારથી ખેડૂતો આકુળ વ્યાકુળ થયા છે.

જોકે, કમોસમી માવઠાના મારથી ખેડૂતને પછડાટ મળી છે, જ્યારે મોટાભાગના ખેતીપાકોને નુકશાની થઈ છે, ત્યારે હવે ખેડૂતોને નવું વાવેતર કરવું કે, આ વાવેતરમાં જ રોડવવું તે એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. વરસાદના આગલા દિવસે દવાઓના છટકાવ કર્યો હતો, ને બીજા દિવસે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે.

ખેતીપ્રધાન દેશમાં ખેતી કરી દિવસ-રાત કાળી મજૂરી થકી ખેત પેદાશો ઉત્પન્ન કરતા જગતના તાત પર અણધારી આફત આકાશમાંથી ઉતરી આવતા ખેતીપાકો નષ્ટ થયા છે, ત્યારે આવા ખેડૂતોનો સર્વે કરીને જગતના તાતની નુકશાનીમાં સહાયનું થાબડભાણું સરકાર આપશે કે, કેમ તે તો આવનારો સમય જ બતાવશે...

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.