અમરેલી : કમોસમી માવઠાએ સાવરકુંડલા અને ધારીમાં વાળ્યો પાકનો સોથ, ખેડૂતોને મોટું નુકશાન...

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે.

New Update
અમરેલી : કમોસમી માવઠાએ સાવરકુંડલા અને ધારીમાં વાળ્યો પાકનો સોથ, ખેડૂતોને મોટું નુકશાન...

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત 2 દિવસ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના મહામુલા પાકનો સોથ વળી ગયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગત શનિવારે અને રવિવારે એમ બે દિવસ સુધી અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકેલા કમોસમી વરસાદ ખેડૂતોના મહામુલા પાક માટે ધાતક સાબિત થયો છે. ધારીના સુખપુર, કાંગસા, ગોવિંદપુર અને કુબડા સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેતી પેદાશોને ભારે નુકશાન પહોચ્યું છે. આવી જ સ્થિતિ સાવરકુંડલાના ધજડી, સાકરપરા અને બાઢડા ગામના ખેડૂતોની થઈ છે, જ્યાં ઘઉં, ચણા, એરંડા અને ધાણાના તૈયાર પાકને નુકશાન થયું છે. આ વિસ્તારના ખેડૂતો માટે હવે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો જૂટવાઈ ગયો હોવાની પ્રતીતિ જગતના તાત કરી રહ્યા છે.

જોકે, ધારી-ગીર, ખાંભા-ગીર અને સાવરકુંડલા સહિતના ગામ્ય વિસ્તારોમાં ગતરોજ બપોર બાદ ધોધમાર વરસાદ પડવાથી રવિપાકને ભારે નુકશાન પહોંચ્યું હતું. તો બીજી તરફ, ધજડી ગામના ખેડૂતોના માથે પણ અચાનક વરસાદરૂપિ મોટી આફત આવી હતી. ખેડૂતોએ શિયાળુ ચણા, જીરું અને ઘઉંના પાકનું વાવેતર કર્યું હતું, ત્યારે હવે કમોસમી માવઠાથી શિયાળુ પાકને નુકશાન પહોચ્યું છે. આ સાથે જ પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં નાશ પામ્યો છે. સાવરકુંડલા અને ખાંભા તાલુકા ખેડૂતોને રવીપાક પર થોડી આશા હતી. પરંતુ કમોસમી માવઠું જાણે કહેર બની આવ્યું હોય તેમ ખેડૂતના રાવીપાકમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

સાવરકુંડલા, ખાંભા અને ધારી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને જે નુકસાન થયું છે, તેમાં ખેડૂતોને બેવડો માર પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો અડધો પાક નાશ પામ્યો છે, અને જે અડધો પાક બચ્યો છે તે પલળી ગયો છે. જેના કારણે તેની ગુણવત્તા પણ ઓછી થઈ ગઈ છે. પરીણામે ખેડૂતોને તેના પુરતા ભાવ નહીં મળે. આવા સંજોગોમાં ખેડૂતો હવે લાચારી અનુભવી રહ્યા છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી હજુ પણ યથાવત છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં થયેલી નુકશાની સામે સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

અંકલેશ્વર:  ગણેશ આયોજકો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાય બેઠક, વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા

અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગણેશ આયોજકોની બેઠક યોજાઇ

  • વહીવટી તંત્ર સાથે બેઠકનું આયોજન

  • વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા

  • ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં આગામી ગણેશ મહોત્સવને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશિષ્ટ બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોને મંજૂરી, આયોજનમાં સહકાર, રસ્તાઓની વ્યવસ્થા, મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ, વીજ પુરવઠા અંગે DGVCL સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી, વીજળીના કટોકટીના પ્રશ્નો, રોડના ખાડા, અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેમના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી.આ બેઠકમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર  કરણસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ  પ્રકાશ મોદી,  ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
Latest Stories