અંકલેશ્વર થી ભરૂચ આવતા "માં નર્મદા બ્રિજ" પર આર્ટિગા કાર ને મહિન્દ્રા પિક અપ એ પાછળ થી અથડાતાં પિક અપ રસ્તા ની બાજુએ પલટી ખાધી
અંકલેશ્વર થી ભરૂચ આવતા "માં નર્મદા બ્રિજ" પર શાકભાજી ભરેલ પિક અપ ગાડી ઝડપ ભેર આગળ નવરાત્રી માંથી ઘર જતા યુવાનો ની કાર અર્તીકા સાથે અથડાયા બાદ પલટી ખાધી હતી, અકસ્માતના સમાચાર મળતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ સવાલ એ બને છે કે ભરૂચ માં આવેલ માં નર્મદા બ્રિજ ઉપર ભારે વાહનો એટલે કે કોઈ પણ કોમર્સયલ વાહન ન જવા માટે કલેકટર નું જાહેરનામું હોવા છતાં રાતના પોલીસની રહેમ નજર હેઠળ 20 થી 25 જેટલા વાહનો પાસ કરી દેવામાં આવે છે, આજે આ અકસ્માત થી પુલ પર અંકલેશ્વરની હદ ની પોલીસ ભરૂચની હદમાં અકસ્માત સમયે કેમ પહોંચી???? આ અકસ્માતે જાહેરનામા નો ભંગ અને પોલીસ પર સવાલ ઊભો કર્યો છે તે જણાય આવે છે