અંકલેશ્વર: શહેર ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા કાર્યકરોને કરાયુ આહવાહન
BY Connect Gujarat Desk6 Feb 2023 11:34 AM GMT
X
Connect Gujarat Desk6 Feb 2023 11:34 AM GMT
અંકલેશ્વર શહેર ભાજપની કારોબારી બેઠકનું આયોજન
ભીડભંજન હનુમાન મંદિરે બેઠક યોજાય
ચૂંટણીમાં સારી કામગીરી કરનાર કાર્યકરોનું કરાયુ સન્માન
અંકલેશ્વર શહેર ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવલે ભીડ ભંજન મંદિર ખાતે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના મહમંત્રી વિનોદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરનાર કાર્યકરોને આ પ્રસંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે જ હવે લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો
Next Story