અંકલેશ્વર: ઈદ-ઉલ-અજહા નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી,ઈદના પર્વની પાઠવી શુભકામના

ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ-હિજ્જાહમાં બકરી ઇદ ઉજવવામાં આવે છે.આ વર્ષે ભારતમાં ૧૭ જૂન, સોમવારના રોજ બકરી ઇદ એટકે કે ઈદ-ઉલ-અજહાની ઉજવણી કરાઇ હતી

New Update
આજે ઈદ-ઉલ-અજહાની ઉજવણી
અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી
ઈદની નમાઝ અદા કરવામાં આવી
ઇદગાહ મેદાન અને મસ્જિદોમાં નમાઝ અદા કરાય
ઈદના પર્વની શુભકામના પાઠવાય
અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદ-ઉલ-અજહાની ઉજવણી કરી હતી.ઇદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી
ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ-હિજ્જાહમાં બકરી ઇદ ઉજવવામાં આવે છે.આ વર્ષે ભારતમાં ૧૭ જૂન, સોમવારના રોજ બકરી ઇદ એટકે કે ઈદ-ઉલ-અજહાની ઉજવણી કરાઇ હતી. ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો જુલ-હિજજાહ મહિનામાં હજ કરે છે. મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અજહાના દિવસે સમાપ્ત થાય છે. બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહા જુલ-હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવે છે.ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકોએ વહેલી સવારે ઊઠીને સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી ત્યાર બાદ ઇદના દિવસે પઢવામાં આવતી વિશેષ ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી.
Latest Stories