Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : દશેરા પર્વે ONGC કોલોની ખાતે રાવણ દહન સહિત ભવ્ય રામલીલા યોજાય..

X

વિજયાદશમીના પાવન અવસરની કરાય ભવ્ય ઉજવણી

અંકલેશ્વર ONGC કોલોની ખાતે ભવ્ય રામલીલા યોજાય

રાવણ, કુંભકર્ણ સહિત મેઘનાથના પૂતળાનું કરાયું દહન

વિજયાદશમીના પાવન પર્વે ભારત દેશના વિવિધ ભાગોમાં જુદી-જુદી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા"ના અંતને દર્શાવે છે, અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.

દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે. એકમેક અને એકતાના ભાવ સાથે દશેરાના તહેવાની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે કોરોના કાળના વર્ષ બાદ કરીએ તો 1977થી અંકલેશ્વરના ONGC ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન સહિત ભવ્ય મેળાનો કાર્યક્રમ યોજાય રહ્યો છે. આ સાથે જ ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 50 ફૂટ ઊંચા રાવણ, 47 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ONGC કોલોની ખાતે છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજે દશેરા પર્વ પર અસત્ય પર સત્યની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ONGC પરિવાર સહિત આમંત્રિતો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story